________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૬ ]
[ ૨૧૫
( ૩પનાતિ)
देव
अचिन्त्यशक्तिः स्वयमेव श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया ज्ञानी किमन्यस्य
विधत्ते
परिग्रहेण । । १४४ ।।
શ્લોકાર્થ:- [ યમાત્] કા૨ણ કે [FF:] આ (જ્ઞાની ) [ સ્વયમ્ વ] પોતે જ [ અવિત્ત્તશત્તિ: વેવ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [વિન્માત્ર–ચિન્તામ:િ ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [ સર્વ–અર્થસિદ્ધ-આત્મતયા] જેના સર્વ અર્થ (પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ જ્ઞાની] જ્ઞાની [અન્યસ્ય પરિપ્રòળ] અન્યના પરિગ્રહથી [મ્િ વિધત્તે] શું કરે ? ( કાંઈ જ કરવાનું નથી.)
ભાવાર્થ:- આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.
*
*
*
સમયસાર ગાથા ૨૦૬ : મથાળું
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ
* ગાથા ૨૦૬ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘(હે ભવ્ય!) એટલો જ સત્ય (–૫રમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છેએમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (−પ્રીતિ, રુચિ ) પામ; '...
‘હું ભવ્ય !’... અહા ! તું આમ કર–એમ મૂળ ગાથામાં કહ્યું છે ને? આ એમાંથી ‘હૈ ભવ્ય!' એમ સંબોધન કાઢયું છે. કહે છે-હે ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા જેટલું આ જ્ઞાન છે. અર્થાત્ આત્મા જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન આત્માપ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાનપ્રમાણ, દર્શનપ્રમાણ આનંદપ્રમાણ ઇત્યાદિ અનંતગુણપ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે ને? તેથી અહીં કહ્યું કે એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી.
અહાહાહા...! શુદ્ધ ચૈતન્યપ્રકાશથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા એટલો જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com