________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬
જિગ્ન
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि। एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ।। एतस्मिन् रतो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन्। एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६ ।।
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે:
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬. ગાથાર્થ:- (હે ભવ્ય પ્રાણી !) તું [પ્તરિશ્મન] આમાં (-જ્ઞાનમાં) [ નિત્ય] નિત્ય [રત:] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [[મન] આમાં [નિત્યં] નિત્ય [સતુ: ભવ ] સંતુષ્ટ થા અને [તેન] આનાથી [તૃH: ભવ ] તૃત થા; (આમ કરવાથી) [ તવ] તને [ ૩ત્તમ સૌરધ્યમ] ઉત્તમ સુખ [ ભવિષ્યતિ ] થશે.
ટીકા- (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય ( અનુભવ કરવાયોગ્ય ) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)
ભાવાર્થ- જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com