________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ].
થન રત્નાકર ભાગ-૭ ખરેખર દુરાસદ છે અને [ સન–વો–છના–સુનમ નિ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ તત:] માટે [ નિન–વોઈ–વના–વતી] નિજજ્ઞાનની કળાના બળથી [ફ વસયિતું] આ પદને અભ્યાસવાને [ નમંત્િ સતત યતતાં] જગત સતત પ્રયત્ન કરો.
ભાવાર્થ- સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની “કળા” કહેવાથી એમ સૂચન થાય છે કે
જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ – મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.
સમયસાર ગાથા ૨૦૫ : મથાળું હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે:
* ગાથા ૨૦૫ : ટીકા ઉપરનું પ્રવચન * કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
જુઓ, કર્મ શબ્દ પડ્યો છે ને? કર્મ એટલે જડ પુલકર્મની અહીં વાત નથી પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ક્રિયાકાંડ છે તે કર્મ છે એમ અહીં લેવું છે. કહે છે-કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું નથી. સઘળાય શુભભાવરૂપ કર્મમાં આત્મા પ્રકાશનો નથી. આવી ચોખ્ખી વાત છે છતાં કોઈ અજ્ઞાનીઓ કહે છે કે વ્રતાદિ શુભાચરણથી પણ મોક્ષ થાય છે અને આમ માને તો અનેકાન્ત કહેવાય છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કેશુભકર્મમાં-શુભાચરણમાં જ્ઞાન-આત્મા પ્રકાશતો નથી માટે સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ભાઈ ! વ્યવહારથી–રાગથી કદીય મોક્ષ થતો નથી એમ કહે છે. અહાહા....! નિશ્ચયથી જ મોક્ષ થાય અને વ્યવહારથી (બીજી રીતે) ન થાય એનું નામ અનેકાન્ત છે.
પ્રશ્ન- પ્રવચનસારમાં તો (છેલ્લે) કર્મકાંડથી જ્ઞાનકાંડ થવાનું કહ્યું છે?
સમાધાન- એ તો પૂર્વે કર્મકાંડ હતું એટલે ત્યાં જ્ઞાન કરાવ્યું છે. બાકી તો તેનુંકર્મકાંડનું લક્ષ છોડીને જ્ઞાનકાંડ થયું છે. પ્રવચનસારમાં પાઠ એવો છે કે-“પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી..” ભાઈ ! આ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે.
૧. દુરાસદ = દુષ્માપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં “અભ્યાસવાને ” એવા અર્થને બદલે “અનુભવવાને', “પ્રાપ્ત કરવાને' એમ અર્થ પણ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com