________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૫ णाणगुणेण विहीणा एवं तु पदं बहू वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।। २०५।।
ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते। तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम्।। २०५।।
(ફુતવિન્વિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल। तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्।। १४३।। હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે:
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫. ગાથાર્થઃ- [ જ્ઞાન-પુણેન વિઠ્ઠીના: ] જ્ઞાનગુણથી રહિત [ વદવ: ]િ ઘણા લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં ) [તત્ પર્વ તુ] આ જ્ઞાનસ્વરૂપ પદને [ નમન્ત] પામતા નથી; [ ત૬] માટે હે ભવ્ય ! [યરિ] જો તું [ર્મપરિમોક્ષમૂ] કર્મથી સર્વથા મુક્ત થવા [ રૂછસિ] ઇચ્છતા હો તો [ નિયતમ્ તત્] નિયત એવા આને (જ્ઞાનને) [મૃાળ ] ગ્રહણ કર.
ટીકા- કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારના) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થ- જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:શ્લોકાર્થ:-[ફર્વ પવન્] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ નનુ વર્મયુર સર્વ ] કર્મથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com