________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૪
तथाहि
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिदुं णिव्बुदिं जादि।। २०४।। आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेक पदम्।
स एष परमार्थो यं लब्ध्वा निवृतिं याति।।२०४।।
હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે” એવા અર્થની ગાથા કહે છે:
મતિ, શ્રુત, અવધિ, મન, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. ગાથાર્થ- [મિનિવવિકૃતાવધિમન:પર્યયવનં ૨] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન- [ તત્] તે [કમ્ વ] એક જ [પવમ્ ભવતિ] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); [ : SS: પરમાર્થ:] તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે- ) [ ] કે જેને પામીને [ નિવૃત્તિ યાતિ] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ટીકા- આત્મા ખરેખર પરમાર્થ (પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ . જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (–ટેકો આપે છે). તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના ‘વિઘટન અનુસાર પ્રગટપણું પામે છે. તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ
* વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com