________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૩ किं नाम तत्पदमित्याह
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण।। २०३।।
आत्मनि द्रव्यभावानपदानि मुक्त्वा गृहाण तथा नियतम्। स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन।। २०३।।
હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છે:
જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહુ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩.
ગાથાર્થ- [બાત્મનિ] આત્મામાં [પવાનિ] અપદભૂત [દ્રવ્યમાવાન] દ્રવ્યભાવોને [મુવÇી ] છોડીને [ નિયતન્] નિશ્ચિત, [ સ્થિરમ્] સ્થિર, [U{] એક [ રુમં ] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [ ભાવમ્] ભાવને- [સ્વભાવેન ૩પગમાન] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને- [ તથા] (હે ભવ્ય !) જેવો છે તેવો [દાન ] ગ્રહણ કર. (તે તારું પદ છે.)
ટીકા- ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે (-દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મધ્ય), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે ) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થ:- પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com