________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
દેવાધિદેવ સિદ્ધ પરમાત્માનું જે પદ છે તે જ પદ નિશ્ચયે તારું છે ભાઈ ! શુભરાગમાંથી-પુણ્યભાવમાંથી ખેંચી કાઢીને તને પ્રભુમાં લઈ જવો છે પ્રભુ! તેથી તો કહ્યું કે–અંદર ત્રણલોકનો નાથ પ્રભુસ્વરૂપે વિરાજી રહ્યો છે તેનો આશ્રય કર અને જોકે અનંતસુખ-પદ-સિદ્ધપદ તારું છે. લૌકિકમાં આવે છે ને કે
મારા નયનની આળસે રે મેં દીઠા ન શ્રી હરિ.' એ હરિ એટલે કોણ? આ શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્મા હોં, બીજા કોઈ કર્તા-ધર્તા-હર્તા હરિ નહિ. પંચાધ્યાયીમાં છે કે-જે અજ્ઞાન અને રાગ-દ્વેષને હણે-હરી લે તે હરિ. તો એવો આ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ આત્મા હરિ છે. અહીં કહે છે એવા હરિસ્વરૂપ ભગવાન આત્મામાં દષ્ટિ લગાવ, તારાં નયનને (શ્રુતજ્ઞાનને) એમાં જોડી દે, અને તેનો જ આશ્રય કર, તેમાં જ રમણતા કર. [ પ્રવચન નં. ર૭ર થી ૨૮૭ (૧૯ મી વાર) * દિનાંક ૨૫-૧૨-૭૬ અને ર૬-૧ર-૭૬ અને ૨૭૫
૧૦-૮-૭૯ થી ૨૮-૧૨-૭૯]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com