________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
૧૪૩ (અનુકુમ ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्। अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।।१३९ ।।
(શાર્દૂનવિહિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।१४०।। અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (-સદા વિધમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાનરહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે –
શ્લોકાર્થ:- [તત્ છમ્ yવ દિ પવમ્ સ્વાā] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [વિપામ્ અપવું] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [યપુર:] જેની આગળ [ ન્યાનિ પા]િ અન્ય (સર્વ) પદો [ ગપનિ વ ભાસત્તે] અપદ જ ભાસે છે.
ભાવાર્થ:- એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે ). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે:
શ્લોકાર્થઃ- [–જ્ઞા કમાવ-નિર્મરમદીસ્વાદું સમીસાયન ] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [ એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ કેન્દ્રમાં સ્વાદું વિધાતુ :] ઢંઢમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [માત્મઅનુમ–અનુમાવ–વિવશ: સ્વ વસ્તુવૃત્તિ વિદ્] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com