________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
થન રત્નાકર ભાગ-૭ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા.”
જુઓ, જેણે દારૂ પીધો હોય તેને ભાન નથી હોતું કે હું ક્યાં સૂતો છું, એ તો વિષ્ટાના ઢગલા પર પણ જઈને સૂઈ જાય છે. તેને બીજો જગાડીને કહે કે
૧. ભાઈ ! તારું સિંહાસન તો સુવર્ણમય ધાતુનું બનેલું છે; વળી ૨. તે અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે; અને ૩. તે અતિ મજબૂત છે.
માટે હું બતાવું ત્યાં આવે અને તારા સ્થાનમાં શયનાદિ કરી આનંદિત થા. જુઓ, આ દષ્ટાંત છે. હવે કહે છે
તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતાં છે-સ્થિત છે...'
જાઓ, સંસારી પ્રાણીઓ અનાદિ નિગોદથી માંડીને રાગાદિકને એટલે શુભાશુભભાવને ભલા જાણી અને તેને જ પોતાનું સ્વરૂપ જાણીને તેમાં નિશ્ચિતપણે સૂતાં છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ અશુભભાવ છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવ. એ બન્ને ભાવ વિકાર છે, વિભાવ છે. છતાં અજ્ઞાનીઓ તેને સ્વભાવ જાણી, ભલા માની તેમાં જ સૂતા છે. અહાહા..! પોતાનો સ્વભાવ તો શુદ્ધ જ્ઞાનાનંદમય છે, પણ તેની ખબર નથી એટલે શુભાશુભભાવને જ સ્વભાવ જાણે છે.
ભાઈ ! આ શરીર, ધન, લક્ષ્મી, સ્ત્રી-પુત્ર-પરિવાર, મહેલ-મકાન ઇત્યાદિની અહીં વાત નથી કેમકે એ તો પ્રત્યક્ષ પરચીજ છે; તેમાં આત્મા નથી અને આત્મામાં તેઓ નથી. છતાં અજ્ઞાનીઓ તે બધાને પોતાનાં માને છે તે તેમની વિપરીત માન્યતા છે. ભાઈ ! આ શરીર માર. ને પૈસા મારા ને બાયડી-છોકરાં મારાં-એ વિપરીત માન્યતા છે અને એ જ દુ:ખ છે. અજ્ઞાની એમાં સુખ માને છે પણ ધૂળમાંય ત્યાં સુખ નથી. એ તો જેમ કોઈ સન્નિપાતિયો સન્નિપાતમાં ખડખડ દાંત કાઢે છે તેમ આને મિથ્યાત્વનો સન્નિપાત છે જેમાં દુ:ખને સુખ માને છે.
હા, પણ દુનિયા તો આ બધા ધનવંતોને સુખી કહે છે?
બાપુ! દુનિયા તો બધી ગાંડા-પાગલોથી ભરેલી છે; તેઓ એમને સુખી કહે તેથી શું? વાસ્તવમાં તેઓ મિથ્યાત્વભાવ વડે દુ:ખી જ છે.
અહીં કહે છે-શુભાશુભભાવ-પુણ-પાપના ભાવ વિભાવ છે, મલિન છે, દુઃખરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com