________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
| [ ૧૦૯ (મંદાક્રાન્તા) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ता: सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातु:
શુદ્ધ: શુદ્ધ: વરસમરત: સ્થાયિમાવતિના શરૂ૮ાા (જેને અનાત્માનો-રાગનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા-બન્નેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી.
ભાવાર્થ- અહીં “રાગ' શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથી–તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.
જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણું, કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે:
શ્લોકાર્થ:- (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ ) [ કન્યા: ] હે અંધ પ્રાણીઓ! [ સાસંસTRI] અનાદિ સંસારથી માંડીને [પ્રતિપસ્] પર્યાયે પર્યાય [ ગમી Ins:] આ રાગી જીવો [ નિત્યમત્તા:] સદાય મત્ત વર્તતા થકા [પરિમન સુHT:] જે પદમાં સૂતા છે-ઊંધે છે [ત ] તે પદ અર્થાત્ સ્થાન [પવમ્ પરં] અપદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com