________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
છે–અપદ છે, (તમારું સ્થાન નથી,) [વિનુષ્યધ્વન્] એમ તમે સમજો. (બે વા૨ કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [ત: પુખ્ત પુત] આ તરફ આવો-આ તરફ આવો, (અહીં નિવાસ કરો, ) [ પવન્ વસ્ વં] તમારું પદ આ છે-આ છે [ યંત્ર ] જ્યાં [ શુદ્ધ: શુદ્ધ: ચૈતન્યધાતુ: ] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [ સ્વ-રસ-ભરત: ] નિજ રસની અતિશયતાને લીધે [ સ્થાયિમાવત્વમ્ તિ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં ‘શુદ્ધ ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. )
4.
ભાવાર્થ:- જેમ કોઈ મહાન પુરુષ મધ પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે–સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા”; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે–જગાડે છે–સાવધાન કરે છે કે “હું અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો ”. ૧૩૮.
*
*
*
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ :
મથાળું
હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય ? તેનો ઉત્તર કહે છેઃ
* ગાથા ૨૦૧-૨૦૨ : ટીકા ઉપરનું પ્રવચન *
જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્દભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો;...'
ભાષા જુઓ ! જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના' એમ કહી અહીં, રાગાદિ, અજ્ઞાનમય ભાવો છે એમ કહ્યું છે. આ વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે શું? એટલે કે તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ એમાં ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ ઝળહળ જ્યોતિસ્વરૂપ ચૈતન્યબિંબ છે. આવા ચૈતન્યબિંબનું કિરણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના વિકલ્પોમાં છે નહિ માટે તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com