________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪૬
अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति
सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।।
सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम्।
बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म।। १४६ ।। હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છે:
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬,
ગાથાર્થઃ- [વથા] જેમ [ સૌવવિદ્] સુવર્ણની [નિયા નં] બેડી [ગuિ] પણ [ પુરુષ{] પુરુષને [વનાતિ] બાધે છે અને [ નીયમ] લોખંની [ગરિ] પણ બાંધે છે, [] તેવી રીતે [શુભમ્ વા અશુમમ્] શુભ તેમ જ અશુભ [d ] કરેલું કર્મ [ નીવં] જીવને [વદનાતિ] (અવિશેષપણે ) બાંધે છે.
ટીકાઃ- જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.
સમયસાર ગાથા ૧૪૬: મથાળું
હવે, (શુભ-અશુભ ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છે:
* ગાથા ૧૪૬: ગાથાર્થ ઉપરનું પ્રવચન *
જેમ સુવર્ણ બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે ) બાંધે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com