SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જુઓ, જ્ઞાનમાં એક આકાશને જ લક્ષમાં લઈ વિચાર કરવામાં આવે તો આકાશનો આધાર કોઈ બીજી ચીજ ભાસતી નથી; અર્થાત્ બીજા આધારની અપેક્ષા બુદ્ધિમાં બેસતી નથી, બીજા આધારની અપેક્ષા ઠરી જાય છે, ઉદ્દભવતી નથી. સર્વવ્યાપક આકાશને કોનો આધાર ? આકાશ પોતે જ આધાર અને પોતે જ આધેય એમ સ્પષ્ટ સમજી જવાય છે. ખરેખર દ્રવ્યોને આધાર કોણ ? દરેક દ્રવ્ય નિશ્ચયથી પોતે પોતાના જ આધારે છે. આકાશમાં જે દ્રવ્યો રહેલાં છે તેમને આકાશનો આધાર કહેવો એ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે; વાસ્તવિક આધાર તો કોઈ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્ય છે જ નહિ. જેમ કોઈ જગતનો કર્તા ઈશ્વર એમ કહે તો પછી ઈશ્વરને કોણે કર્યો? જો એને બીજાએ કર્યો તો પછી એ બીજાને કોણે કર્યો? એમ વિચારતાં કોઈ થંભાવ રહેતો નથી. એનો અર્થ જ એ થયો કે વસ્તુ સ્વયંસિદ્ધ છે; એને કોણ કરે ? ( કોઈ નહિ). અનાદિથી છે છે ને છે. તેમ છયે દ્રવ્યો પ્રત્યેક પોતપોતાના જ આધારે છે. જેમ આકાશને કોઈ આધાર નથી તેમ યે દ્રવ્યોને નિશ્ચયથી કોઈ અન્ય આધાર નથી. અહીં કહે છે કે સર્વવ્યાપી આકાશને કોઈ અન્ય આધાર ભાસતો નહિ હોવાથી આકાશ જ આકાશમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. આકાશનો આધાર આકાશ જ છે, અન્ય નહિ. આવું સમજી જનારને કોઈ પર આધાર અને આકાશ આધેય એમ ૫૨– આધારઆધેયપણું ભાસતું નથી. જુઓ, આ આચાર્યદેવે દષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે ‘ એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ( જ્ઞાનનો ) આધા૨આધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્યદ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે-એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને ૫૨-આધારઆધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.’ જેમ જ્ઞાનમાં આકાશને લક્ષમાં લેતાં આકાશનો બીજો કોઈ આધાર દેખાતો નથી એમ બુદ્ધિમાં જ્ઞાનને વિચારતાં જ્ઞાનને કોઈ બીજી ચીજનો આધાર છે એમ દેખાતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આત્મા આત્મામાં જ છે કોઈ અન્યદ્રવ્યમાં નહિ. બીજા દ્રવ્યનો જ્ઞાનને–આત્માને આધાર નથી; આત્મા શરીરમાં કે રાગમાં નથી. આત્મા એકલા જ્ઞાનના પરિણમનમાં કે જે આત્માનું સ્વરૂપ છે એમાં છે. રાગ આધાર અને આત્મા આધેય એમ છે નહિ. ભાઈ! એક વાર તું આવું યથાર્થ શ્રદ્ધાન તો કર કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, રાગમાંક્રોધાદિમાં નહિ અને ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે, આત્મામાં નહિ. ભાઈ ! આવું શ્રદ્ધાન કરે એ તો અંદર (સ્વરૂપમાં ) ચાલ્યો જાય Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy