________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(અનુષ્ટ્રમ) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ।
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ११७ ।। શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
“બુદ્ધિપૂર્વક” અને “અબુદ્ધિપૂર્વક”નો અર્થ આ પ્રમાણે છે:-જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં “બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છે -જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.) ૧૧૬.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે –
શ્લોકાર્થ:- ‘[ સર્વસ્યામ્ દ્રવ્યપ્રત્યયસંતતી નીવત્યાં] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાગ્નવની સંતતિ વિદ્યમાન હોવા છતાં [જ્ઞાની] જ્ઞાની [ નિત્યમ્ વ ] સદાય [નિરીઝવ:] નિરાસવ છે [ :] એમ શા કારણે કહ્યું?'- [તિ વે મતિઃ] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭.
સમયસાર ગાથા ૧૭૨ : મથાળું
હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાન્સવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે -
એકકોર એમ કહો છો કે જેને અંતરસ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન થયું છે તે જ્ઞાની નિરાસ્રવ છે અને વળી પાછા કહો છો કે જ્યાં સુધી જ્ઞાનનું જઘન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com