________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૭૧
कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत्
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।।१७१।।
यस्मात्तु जधन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते। अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः।। १७१।।
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે:
જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ગાથાર્થ- [ ચસ્મા તુ] કારણ કે [ જ્ઞાનકુળ: ] જ્ઞાનગુણ, [નવજાત્ જ્ઞાનાત્] જઘન્ય જ્ઞાનગુણને લીધે [પુનરપિ] ફરીને પણ [બન્યત્વે ] અન્યપણે [પરિણમતે] પરિણમે છે, [ તેન તુ] તેથી [ : ] તે (જ્ઞાનગુણ ) [ વન્ય: ] કર્મનો બંધક [ મળત: ] કહેવામાં આવ્યો છે.
ટીકા- જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (ક્ષાયોપથમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
| ભાવાર્થ:- ક્ષાયોપથમિક જ્ઞાન એક શૈય પર અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય શેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, –યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.
સમયસાર ગાથા ૧૭૧ : મથાળુ હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? –તેના ઉત્તરની ગાથા કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com