________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬૬
अथ ज्ञानिनस्तदभावं दर्शयति
णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो। संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो।।१६६ ।।
नास्ति त्वाम्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः।
सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन्।।१६६ ।। હવે જ્ઞાનીને આસ્ત્રવોનો (ભાવાસ્ત્રવોનો) અભાવ છે એમ બતાવે છે:
સુદષ્ટિને આસ્રવનિમિત્ત ન બંધ, આમ્રવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
ગાથાર્થઃ- [સભ્યપદ તુ] સમ્યગ્દષ્ટિને [ સામ્રવવન્ય: ] આસ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ [ નાસ્તિ] નથી, [માર્જવનિરોધ:] (કારણ કે) આસ્રવનો (ભાવાન્સવનો) નિરોધ છે; [ તાનિ] નવાં કર્મોને [મન] નહિ બાંધતો [સ:] તે, [સત્તિ] સત્તામાં રહેલાં [ પૂર્વનિર્વધ્રાનિ] પૂર્વે બંધાયેલાં કર્મોને [નાનાતિ] જાણે જ છે.
ટીકાઃ- ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્ત્રવધૂત (આસ્ત્રવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને સ્ત્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસ્ત્રવો જેમનું નિમિત્ત છે એવાં ( જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.)
ભાવાર્થ- જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્ત્રવો હોતા નથી અને આસ્ત્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વ બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com