________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૨૧૭
પ્રશ્ન- આપ ધનાદિ સંપત્તિ વગેરેને ધૂળ-માટી કહો છો પણ એના વિના શું ચાલે છે?
ઉત્તર- એના વિના ન ચાલે એ તારી માન્યતા ભ્રમ અને અજ્ઞાન છે. એ તો કહ્યું હતું એક ફેરા કે સ્વદ્રવ્ય (-જીવ) અનંતા પરદ્રવ્ય (પુદગલાદિ સર્વ)ના અભાવથી જ ટકી રહ્યું છે. જુઓ, આ બે આંગળી છે ને? તેમાં આ એકમાં બીજીનો અભાવ છે. બીજીનો અભાવ છે તો આ એક પોતાના ભાવે ટકી રહી છે. તેમ સચ્ચિદાનંદ નિર્મળાનંદસ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ-દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્માદિનો અભાવ છે એટલે એ ત્રિકાળ અસ્તિપણે ટકી રહ્યો છે. ભાઈ ! આ શરીર, બાયડી-છોકરાં અને ધૂળના (-ધનના) ઢગલા-એ બધાનો એમાં અભાવ છે, સદાકાળ અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે. ( જો આત્મા ધનાદિ પરભાવથી ટકે તો બે એક થઈ જતાં આત્માનો અભાવ થઈ જાય છે. હવે આવી વાત છે ત્યાં આના વિના ન ચાલે એમ માનનારા તો મૂઢ મિથ્યાદષ્ટિ છે, સંસારમાં ચારગતિમાં રઝળનારારખડનારા છે. સમજાણું કાંઈ....!
પ્રશ્ન:- આ છોકરા પૈસા-બેસા રળે ત્યારે (ધંધામાંથી) નિવૃત્તિ મળે ને?
ઉત્તર- આ પૈસા-ઐસા તો ધૂળેય નથી, સાંભળને. એ કાંઈ જીવનું જીવતર છે? જીવનું જીવતર તો ચૈતન્યપ્રાણ વડ છે, ધૂળ વડ નહિ; એનો તો જીવમાં અત્યંત અભાવ છે. અને નિવૃત્તિ તો અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો થાય છે તેનાથી નિવૃત્ત થતાં-વિરત્ત થતાં થાય છે. જેમાં જન્મ-મરણના અંત આવે એને નિવૃત્તિ કહીએ. ભગવાન આત્માની સહજ-પ્રાપ્ત પરમાનંદમય દશા તે નિવૃત્તિનો-મોક્ષનો માર્ગ છે. બાકી આ કરો ને તે કરો, વ્રત કરો ને દયા કરો એ બધો સંસારનો માર્ગ છે.
જિન ભગવાનના માર્ગમાં તો જિનમુનિ પુણ્ય-પાપની ભાવના છોડીને અંતર ચૈતન્યસ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય-પાપરહિત થઈને મોક્ષ પધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વરાગરહિત વીતરાગપદને પ્રાપ્ત થઈ જાય છે-એમ કહે છે. આ અધિકાર પૂરો થયો, લ્યો.
આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્યદવપ્રણીત સમયસાર શાસ્ત્ર પરનાં પરમ કૃપાળુ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો ત્રીજો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત થયો. ઇતિ.
[ પ્રવચન નં. ૨૨૩ થી ૨૨૮ (ચાલુ)
*
દિનાંક ૬-૧૧-૭૬ થી ૧૧-૧૧-૭૬]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com