________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.
ભાવાર્થ- કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે, (સંકલેશપરિણામો તેમ જ વિશુદ્ધ- પરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.) આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.
સમયસાર ગાથા ૧૫૪: મથાળું
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે:સામાયિકસ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે એની તો ખબર નથી અને બહારથી સામાયિક ( ચારિત્ર) ગ્રહણ કરીને દયા, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગનું આચરણ કરીને ધર્મ થયો માને છે તેને સમજાવે છે કે-ભાઈ ! એ ધર્મ નથી; તારું શુભાચરણ છે એ તો બંધનું, સંસારનું કારણ છે અને એને તું ધર્મ માને છે એ માન્યતા મિથ્યાત્વ છે.
* ગાથા ૧૫૪: ટીકા ઉપરનું પ્રવચન *
સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજસ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં...'
શું કહે છે? કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી–એટલે એકલા પાપકર્મનો નાશ કરવાથી એમ નહિ, પણ પાપ અને પુણ્ય એ બેય ભાવોનો નાશ કરવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આ આત્મોપલબ્ધિ એ મોક્ષ છે અને મોક્ષને જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં
કહે છે-“મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે....'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com