SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૩ अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति ।। १५३ ।। व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः । परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति ।। १५३ ।। જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, ૫રમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથાર્થ:- [ વ્રતનિયમાન્] વ્રત અને નિયમો [ધારયન્ત: ] ધારણ કરતા હોવા છતાં [ તથા] તેમ જ [શીતાનિ ચ તપ: ] શીલ અને તપ [ર્વન્ત: ] કરતા હોવા છતાં [યે] જેઓ [ પરમાર્થવાઘા: ] ૫૨માર્થથી બાહ્ય છે ( અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી ) [ તે ] તેઓ [નિર્વાણ ] નિર્વાણને [ન વિન્પત્તિ ] પામતા નથી. ટીકાઃ- જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (−જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્દભાવ (હયાતી ) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્દભાવ હોવા છતાં મોક્ષનો સદ્દભાવ છે. ભાવાર્થ:- જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે. Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy