________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫ર ]
[ ૯૩
એ દિવ્યધ્વનિમાં-આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે એમ કહે છે. બનારસી વિલાસમાં (શારદાષ્ટકમાં) આવે છે ને કે
“મુખ કરધુનિ સુનિ અર્થ ગણધર વિચાર, રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.''
ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આગમની રચના કરી છે. અહીં ! ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. એ આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
કોઈ એમ કહે કે આ વ્રત, તપ ઇત્યાદિ શુભાચરણ પણ મોક્ષનું કારણ છે તો કહે છેના આગમમાં એમ કહ્યું નથી. વીતરાગ પરમેશ્વર અનંતા તીર્થકરોની દિવ્યધ્વનિ અનુસાર રચાયેલાં જે આગમ છે તેમાં તો જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ કહ્યું છે. વ્રત, તપ આદિના રાગને મોક્ષમાર્ગ કહે તે વીતરાગનાં આગમ નહિ.
એક પંડિતનો કોઈ સામયિકમાં મોટો લેખ આવ્યો છે કે-આ વ્યવહાર વ્રત અને તપ બધાં સંવર-નિર્જરનાં કારણ છે. અરે ! એને બિચારાને એમ (ઊંધું) બેઠું છે એટલે શું થાય ? અહીં તો કહે છે સત્ય એવો આત્મા જેને હાથ આવે (દષ્ટિમાં આવે) એને મોક્ષનો માર્ગ થાય. બાકી રાગના પરિણામ તો અનંતકાળ થયા પણ એ વડે હજુ મોક્ષમાર્ગ થયો નથી. (થાય પણ નહિ). આ સત્ય વાત છે. કોઈ માને તો માને સને સંખ્યાની કયાં જરૂર છે? ઘણાં માને તો સાચું અને થોડા માને તો સાચું નહિ એવી સને સંખ્યાની અપેક્ષા છે નહિ. સત્ તો ત્રણે કાળ સ્વયં આપ મેળે સત્ જ છે.
ગાથામાં પણ આવ્યું ને કે “લૈંતિ ધ્વઙ્ગ' સર્વજ્ઞદેવો આમ કહે છે. અહાહા...! વીતરાગ સર્વજ્ઞદેવોની વાણીમાં-આગમમાં જ્ઞાનને જ એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ભાઈ ! કોઈ પોતાની મતિ-કલ્પનાથી ઊંધા અર્થ કાઢે અને વ્રત-ત૫ આદિના રાગને મોક્ષનું કારણ કહે તો તે કાંઈ આગમના અર્થ નથી. આગમમાં તો આ ભર્યું છે કે-અંદર વિકલ્પથી પાર શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પરમાત્મતત્ત્વ છે જેને અહીં જ્ઞાન શબ્દ વડે કીધું છે તેનું અંતઃપરિણમન જે જ્ઞાન તે જ્ઞાનને જ મોક્ષનો માર્ગ કહ્યો છે. આ સમ્યક એકાન્ત છે. મોક્ષનો માર્ગ કથંચિત્ જ્ઞાનથી થાય અને કથંચિત્ રાગથી થાય એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત છે.
અહીં તો “જ્ઞાનને જ મોક્ષનું કારણ કહીને સમ્યક એકાન્ત કર્યું છે. મતલબ કે જે મોક્ષનો માર્ગ છે તે એક જ છે અને તે સ્વભાવના આલંબન-એકાગ્રતારૂપ છે. જૈન પરમેશ્વરના આગમમાં આ આવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com