SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૮૧ સમયસાર ગાથા ૭૪ ] વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.” જાઓ, “જ' કહીને એકાન્ત કર્યું છે. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે એમ નથી કહ્યું. નિત્ય છે તે એકાન્ત નિત્ય જ છે, અનિત્ય છે તે એકાન્ત અનિત્ય જ છે. આખા સમગ્ર દ્રવ્યની વ્યાખ્યા કરવી હોય તો ત્યાં કથંચિત્ નિત્ય કથંચિત્ અનિત્ય છે એમ કહેવાય. પણ દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય નિત્ય જ છે અને પર્યાય અનિત્ય જ છે. આસવો અનિત્ય છે અને આત્મા ચૈતન્યઘન નિત્ય છે. ત્યાં નિત્યાનંદ ચૈતન્યઘન પ્રભુ નિત્યમાં દષ્ટિ લગાડવાથી ભેદજ્ઞાન થતાં આસવનો હું કર્તા અને આસ્રવ મારું કર્મ એવી કર્તાકર્મપ્રવૃત્તિનો અભાવ થાય છે. આ પ્રમાણે આસવો-શુભાશુભ બન્નેય ઘાતક, અધ્રુવ અને અનિત્ય છે અને ભગવાન આત્મા વધ્ય, ધ્રુવ અને નિત્ય છે એમ ત્રણ બોલ થયા. આ બન્ને વચ્ચે ભેદજ્ઞાન કરતાં આસ્રવો છૂટી જાય છે. હવે ચોથો બોલ ચોથો બોલઃ- “જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દાણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિન્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે.' મુનિવરો વીતરાગી સંતોએ કેવો દાખલો આપ્યો છે! વિષયસેવનમાં વિર્ય છૂટી જાય તે ક્ષણે જ કામની વાસનાના દારુણ સંસ્કાર છૂટી જાય છે, કોઈથી રોકી શકાતા નથી. તેમ કર્મોદય છૂટી જાય ત્યારે આસવોનો નાશ થાય છે. કર્મના ઉદયના નિમિત્તે જે આસ્રવો થાય છે તે નિમિત્ત મટી જતાં છૂટી જાય છે. કોઇથી શુભાશુભ પરિણામો રોકી રાખી શકાતા નથી. માટે આસવોપુણ્ય પાપના ભાવો અશરણ છે. જુઓ! શુભભાવ પણ અશરણ છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અશરણ છે, કારણ કે ઉદયનું ખરી જવું કોઈથી રોકી શકાતું નથી. આપોઆપ-પોતાથી જ રક્ષિત એવો સહજ ચિક્તિરૂપ જીવ જ શરણસહિત છે. અહાહા..ભગવાન આત્મા આપોઆપ પોતાથી જ રક્ષિત છે. એને રાખવો પડે એવું ક્યાં છે? એ તો રક્ષિત જ છે. શ્રીમમાં આવે છે કે સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષપ્તા ઉપર લક્ષ રાખો. પદ્રવ્યની ધારક્તા ત્વરાથી તજો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy