________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૧ कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।। ७१।।
यदानेन जीवेनात्मनः आस्रवाणां च तथैव।
ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य।। ७१।। હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે:
આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧ ગાથાર્થઃ- [ યા] જ્યારે [ સનેન નીવેન] આ જીવ [ માત્મ: ] આત્માના [ તથા ૨] અને [બન્નવાઈi ] આસ્રવોના [ વિશેષાન્તરં] તફાવત અને ભેદને [ જ્ઞાનં ભવતિ ] જાણે [ તવા તુ] ત્યારે [ત ] તેને [વન્ધ: ] બંધ થતો નથી.
ટીકાઃ- આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ 'નું ભવન તે સ્વભાવ છે (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવુંપરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવુંપરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (-પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલુમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (-તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થ - ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com