________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૮ काविह जीवाजीवाविति चेत्
पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं। उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु।। ८८।।
पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः।
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।।८८।। હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે:
મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. ગાથાર્થ:- [ મિથ્યાવં] જે મિથ્યાત્વ, [ યોT:] યોગ, [ વિરતિઃ] અવિરતિ અને [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન [બનીવ: ] અજીવ છે તે તો [પુનવર્બ ] પુદ્ગલકર્મ છે; [૨] અને જે [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન, [વિરતિ: ] અવિરતિ અને [ મિથ્યાવં] મિથ્યાત્વ [નીવ: ] જીવ છે [1] તે તો [ ૩પયોઃT:] ઉપયોગ છે.
ટીકા- નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.
સમયસાર ગાથા ૮૮: મથાળું હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૮૮: ટીકા ઉપરનું પ્રવચન * નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે, અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com