________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૬
कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत्
जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति । तेण दुमिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति ।। ८६ ।।
यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति।
तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवन्ति ।। ८६ ।।
હવે ફરી પુછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે:
જીવભાવ, પુદ્ગલભાવ-બન્ને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાદષ્ટિ એવા ઢિક્રિયાવાદી ઠરે. ૮૬.
ગાથાર્થ:- [યસ્માત્ તુ] જેથી [ઞાત્મભાવ] આત્માના ભાવને [7] અને [પુ।નમાવું] પુદ્દગલના ભાવને- [ૌ ઞપિ] બન્નેને [ર્વતિ] આત્મા કરે છે એમ તેઓ માને છે [તેન તુ] તેથી [બ્રિયિાવાવિત્ત: ] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [ મિથ્યાદદય: ] મિથ્યાદષ્ટિ [ભવન્તિ ] છે.
ટીકા:- નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્દગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને ) -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્દગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો પ્રતિભાસો, પરંતુ પુદ્દગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા ) પોતાના પરિણામને અનુરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com