________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૯૩ ઘીનો ઘડો” તો વ્યવહારથી કહ્યું. તેમ ભાઈ ! તારી ચીજ-નિશ્ચય વસ્તુને સમજાવવા વ્યવહાર દ્વારા કહી. પણ ત્યાં જે એકલા વ્યવહારને જ પકડે છે તે દેશનાને પાત્ર નથી.
આદિ-મધ્ય-અંતર્મુ-કહીને આ ગાથામાં અલૌકિક વાત કરી છે. રાગ થાય વા સમ્યગ્દર્શન થાય એની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કોઈ વ્યવહારની અપેક્ષા રાખીને સમ્યગ્દર્શન થયું છે એમ નથી. તથા નિમિત્તથી અપેક્ષા વિકારીથાય છે એમ નથી. ભાવાર્થમાં ઘણું ભરી દીધું છે.
પુદ્ગલકર્મના નિમિત્તે સંસારયુક્ત અથવા સંસારરહિત અવસ્થારૂપે આત્મા સ્વયં પરિણમન કરે છે. કર્મનું નિમિત્ત હો, પણ વિકારરૂપે પોતે સ્વયં પરિણમે છે. પ્રવચનસારમાં ૩૪માં ઈશ્વરનયન આવે છે. ત્યાં કહ્યું છે કે “આત્મદ્રવ્ય ઈશ્વરનવે પરતંત્રતા ભોગવનાર છે.” પોતે સ્વતંત્રપણે કર્મને વશ થાય છે. કર્મ તેને આધીનકરે છે. એમ નથી. ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક જીવ સ્વતંત્રપણે પરવશ થાય છે. નિમિત્ત એને વશ કરે છે એવું ત્રણકાળમાં નથી. મૂળ નિયમ અને સિદ્ધાંત ન સમજે અને ઉપર ઉપરથી પકડે તો સત્ય વસ્તુ સમજમાં નહિ આવે. વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમ માની લે તો નિશ્ચયનું સ્વરૂપ નહિ સમજાય.
પરથી થાય એવી માન્યતાવાળાને પરનો આદર અને સ્વનો અનાદર છે. અહા! જેને રાગનાં રુચિ અને પ્રેમ છે તેને નિર્વિકાર નિજ ચૈતન્યમય ભગવાન પ્રતિ દ્વેષ કરે છે. રાગવૈષની આવી વ્યાખ્યા છે. વ્યવહારરત્નત્રયના રાગ પ્રત્યે જેને પ્રેમ છે તેને ભગવાન આત્મા પ્રતિ અરુચિ અને દ્વેષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગની રુચિ ઉડી ગઈ છે. રાગ રહે છે પણ રાગની રુચિ ઉડી ગઈ છે. સમયસાર ગાથા ૭૩માં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદ્ગલ છે. રાગના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એવો હું નિમર્મ છું. આ ધર્મી સમકિતીની વાત છે. પણ સમ્યગ્દર્શન થયા પહેલાં પણ વિકલ્પ દ્વારા આવો જ નિર્ણય કરે છે કે ભવિષ્યમાં રાગ થશે એના સ્વામીએ હું નહિ પરિણમે. વ્યવહાર આવશે પણ વ્યવહારના સ્વામીપણે નહિ પરિણમે કેમકે હું તો નિમર્મ એટલે મમતારહિત છું. પ્રભુ! તારો માર્ગ આવો છે. તું વીતરાગસ્વરૂપ પ્રભુ છો. વ્યવહાર તો તારી પ્રભુતામાં લાંછન છે. રાગથી તારી પ્રભુતાને ઝાંખપ લાગી છે.
ચારે બાજુથી દેખો તો સત્ય સિદ્ધાંત ખડો થાય છે. પહેલો વ્યવહાર આવે છે એમ છે નહિ. જેને નિશ્ચયના આશ્રયે ધર્મ પ્રગટયો છે તેના રાગને વ્યવહાર કહેવામાં આવે છે કોઈ જગાએ એમ વાત આવે કે વ્યવહારથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પણ એનો અર્થ એમ છે કે છઠ્ઠ ગુણસ્થાને જે નિર્મળ પરિણતિની શુદ્ધિ છે તે સાતમા ગુણસ્થાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com