________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભાઈ ! રાગની મંદતા તો અનાદિકાળથી કરે છે. નિગોદમાં પણ ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ થાય છે. એમાં નવું શું છે? જેને શુભરાગની-વ્યવહારને રુચિ છે તેને પોતાના આત્માનો દ્વેષ છે. સ્તુતિકારે ભગવાન સંભવનાથની સ્તુતિમાં કહ્યું છે- “ઢષ અરોચક ભાવ” અહાહા....! ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન અંદર બિરાજે છે. તેનો જેને આદર અને સત્કાર નથી અને રાગનો આદર છે તેને પોતાના પ્રત્યે જ દ્વેષ છે. બાપુ! દુનિયા માને છે એનાથી આ તદ્દન જુદી વાત છે. જેને નિજ સ્વભાવની રુચિ થઈ તેને વ્યવહારનીશુભરાગની રુચિ હોઈ શકતી નથી.
અહીં કહે છે. – સંસારરહિત અથવા સંસારરહિત દશામાં આત્મા પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, અન્યને અનુભવતો ન પ્રતિભાસો. જીવ કાં તો રાગને અનુભવ કાં તો પોતાની અનુભૂતિને અનુભવે; પણ પરને તે અનુભવે છે એમ છે જ નહિ. શેરડીના રસને જીવ અનુભવે છે. એમ છે જ નહિ. તેના પ્રતિ એને જે રાગ છે તે રાગને તે અનુભવે છે. મીરની તીખાશનો જીવને અનુભવ નથી. તીખાશ તો જડ છે. પણ તે ઠીક છે એવો જે એના પ્રત્યે રાગ છે તેને જીવ અનુભવે છે. વીંછી કે સાપના કરડનો (ડખનો ) જીવને અનુભવ નથી, એ તો જડની પર્યાય છે. તે વખતે અઠીકપણાનો જે દ્વેષનો ભાવ થાય છે તે દ્વેષને જીવ અનુભવ છે. સાકરની મીઠાશ અને અફીણની કડવાશનો જીવ ભોક્તા નથી. જે તે સમયે જે રા-દ્વેષાદિ વિકારી થાય છે તે વિકારી ભાવનો જીવ ભોક્તાનો જીવ ભોક્તા થાય છે. આવી વાત છે.
* ગાથા ૮૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મના નિમિત્તથી સંસાર -નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે. પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
પુદગલકર્મના નિમિત્તથી સંસાર અવસ્થા છે. જુઓ, અહીં “નિમિત્તથી' એમ કહ્યું છે. એના અર્થ શું? એટલો જ કે નિમિત્તથી છે, નિમિત્ત હોય છે-બસ એટલી વાત છે. નિમિત્ત વડે અહીં જીવમાં વિકાર કરાયો છે એમ અર્થ નથી. વિકારની-સંસારની આદિ-મધ્ય-અંતમાં નિમિત્ત-કર્મ પ્રસર્યું છે એમ નથી. જીવમાં મિથ્યાગ્વાદિ સંસાર અવસ્થા પોતાથી છે ત્યારે કર્મ નિમિત્ત છે બસ એટલું.
તે જ પ્રમાણે આત્મામાં સંસારરહિત અવસ્થા થાય છે એમાં કર્મનો અભાવ નિમિત્ત છે. પણ કર્મનો અભાવ છે માટે મોક્ષમાર્ગની પર્યાય જીવને થઈ છે એમ નથી. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વીતરાગ અવસ્થાની આ-મધ્ય-અંતમાં આત્મા છે. આત્માએ પોતે સ્વતંત્રપણે કર્તા થઈને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન કરી છે. વ્યવહારનયના પરિણામ છે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટી છે એમ પણ નથી, કેમકે મોક્ષમાર્ગની પર્યાયની આદિમાં વ્યવહારરત્નત્રયનો રાગ નથી, પણ આત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com