________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૭૫
વ્યાપક અને સમુદ્રનું તરંગ એનું ભાષ્ય-એમ નથી. માટે ત્યાં કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. સમુદ્રમાં તરંગ ઉઠયું તે વેળા પવનનું નિમિત્ત છે પણ પવનથી તરંગ ઉયું છે એમ નથી. અને તરંગ શમી ગયું ત્યારે પવનનો અભાવ નિમિત્ત છે, પણ પવનના અભાવને કારણે તરંગ શમી ગયું છે એમ નથી.
દરિયામા મોજાં ઉઠે એમાં પવનનું નિમિત્તપણું હો. વળી મોજાં શમાય એમા પવનના અભાવનું નિમિત્ત હો. (નિમિત્ત નથી એમ કોણ કહે છે?). એમ હોવા છતા પવનને લઇને મોજું ઉત્પન્ન થયું અને પવન નથી માટે મોજું શમાય ગયું એમ નથી. સંયોગષ્ટિ વડે જોના૨ને એમ ભાસે કે આ પવન આયો( વાયો ) માટે મોજાં ઉછળ્યાં અને પવન વાતો બંધ થયો માટે મોજાં શમી ગયાં. પરંતુ ભાઇ! વસ્તુ સ્વરૂપ એમ નથી. પોતાના કારણે મોજું થયું છે અને પોતાના કારણે શમી ગયું છે. કહે છે ને કે પવન અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. પવન મોજાને ઉત્પન્ન કરે અને પવનનો અભાવ મોજાને શમાવી દે એમ ત્રણકાળમાં નથી.
લોકોને એવું લાગે છે કે નિમિત્તથી ૫૨માં કાંઇ ન થાય તો એને નિમિત્ત કેમ કહીએ ? અરે ભાઇ! નિમિત્ત પદ્રવ્યને અડતુંય નથી. પરદ્રવ્યની પર્યાયને નિમિત્તની પર્યાય અડતી નથી. માટે નિમિત્તને લઇને પદ્રવ્યમા કાઇક થાય એવું છે જ નહિ.
‘સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઇને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિમધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી.’
શું કહ્યું ? સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઇને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે. તરંગ ઉઠવાની આદિમાં સમુદ્ર છે, મધ્યમાં સમુદ્ર છે અને એના અંતમાં સમુદ્ર છે. એની આદિમાં પવન છે એમ નથી. તરંગમાં પવન પ્રસરેલો છે એમ નથી. અહાહા...! તરંગની ઉત્પતિ સમુદ્ર કરે છે અને તેનો વિલય પણ સમુદ્ર પોતે કરે છે. તરંગના વિલયની આદિમાં સમુદ્ર છે, પવનનો અભાવ નથી.
વળી સમુદ્રની ઉત્તરંગ વા નિસ્તરંગ પર્યાયની ઉત્પત્તિમાં સમુદ્ર પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, નિમિત્તને કરતો પ્રતિભાસતો નથી. શીતળ હવાને કરતો હોય-એમ અન્યને કરતો પ્રતિભાસતો નથી.
‘અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી.’
૫૨ ભાવ્ય નામ થવા યોગ્ય અને ભાવક નામ થનાર પોતે-એમ ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય છે માટે સમુદ્ર પવનને અનુભવતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com