SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ સમયસાર ગાથા ૭૮: મથાળું હવે પૂછે છે કે પુગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ૭૬મી ગાથામાં પગલકર્મ એટલે રાગને જાણતા જ્ઞાનીની વાત કરી હતી. અહીં પુદ્ગલકર્મનું ફળ જે હુરખ-શોકના ભાવ તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે. કે નથી?–તે વાત કરે છે. જુઓ, હરખશોકના ભાવ એ પુદ્ગલકર્મનું ફળ છે અને અતીન્દ્રિય આનંદ એ આત્માનું ફળ છે. - પ્રવચનસારમાં આવે છે કે શુદ્ધોપયોગરૂપ કર્મનું ફળ આનંદ છે. ત્યાં શુદ્ધોપયોગને કર્મ કહ્યું છે. આત્માના પરિણામ શુદ્ધોપયોગ છે, નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે. તેનું કર્મફળ આનંદ છે. અહીં રાગદ્વેષના પરિણામ તે પુદ્ગલકર્મ છે. એનું ફળ હુરખ, શોક, દુઃખ છે. અરે ! ભગવાનના આ ભરતમાં વિરહ પડ્યા! સમોસરણસ્તુતિમાં આવે છે કે-રે! રે! સીમંધર જિનના વિરહા પડ્યા આ ભારતમાં અને આ બધો ગોટો ઊઠ્યો. શિષ્ય પૂછે છે કે પુદ્ગલકર્મ જે શુભાશુભ રાગ છે એનું ફળ જે સુખ-દુઃખ, હરખ-શોક તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? હરખ-શોકના ભાવ થાય એને જાણે છે એટલો સંબંધ તો છે, તો એને ભોગવે છે કે નહિ? એની સાથે કર્તાકર્મનો સંબંધ છે કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર ગાથામાં કર્યું છે * ગાથા ૭૮-ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, ‘પૂરધ્વજ્ઞાણ'–પરદ્રવ્યપર્યાય શબ્દ પાઠમાં પડ્યો છે. ૭૬, ૭૭ અને ૭૮ ત્રણે ગાથામાં આ શબ્દ પડયો છે. એટલે કે દયા, દાન આદિ વિકલ્પો અને હરખ-શોકના પરિણામ એ બધા પરદ્રવ્યની પર્યાયરૂપ પરિણામ છે એમ અહીં કહે છે. “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલ દ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે સુખદુ:ખાદિરૂપ પુદ્ગલ કર્મફળને કરે છે.' શું કહે છે? જે હરખ-શોકના પરિણામ થાય છે તે પુદ્ગલનું પ્રાપ્ય એટલે ધ્રુવ છે. ધ્રુવ છે. એટલે જે પરિણામ થવાના છે તે જ થયા છે; અને તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે, આત્મા પ્રાપ્ત કરતો નથી. જુઓ, અહીં દ્રવ્યદૃષ્ટિ અને સ્વભાવની અપેક્ષાથી આ વાત છે. જ્યારે જ્ઞાનપ્રધાન શૈલી હોય ત્યારે એ સુખ-દુ:ખના પરિણામનું ભોક્તાપણું જીવન છે, તથા રાગ-દ્વેષ, સુખ-દુ:ખની અવસ્થા જીવની છે એમ કથન આવે. જીવ પોતે તે રૂપે પરિણમે છે અને તેનું કર્તાપણું જીવન છે એમ જ્ઞાનનય જાણે છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ વિકારી પરિણામ જીવના નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાથી વિકારી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy