________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૮ पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति વેત
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ।। ७८।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम्।।७८।। હવે પૂછે છે કે પુગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે
પુગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. ગાથાર્થઃ- [ જ્ઞાન] જ્ઞાની [ પુત્ર નર્મનન્] પુદ્ગલકર્મનું ફળ [ અનન્તર્] કે જે અનંત છે તેને [નાનનું પિ] જાણતો હોવા છતાં [૨] પરમાર્થે [પદ્રવ્યપર્યાય] પદ્રવ્યના પર્યાયરૂપ [ 7 ] પરિણમતિ] પરિણમતો નથી, [ ન ગૃતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ ન ઉત્પદ્યતે] તે રૂપે ઊપજતો નથી.
ટીકા - પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુ:ખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુ:ખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ:- ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં “પુગલકર્મના ફળને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે–એટલું વિશેષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com