SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૯ ] [ ૬૫ બોલે છે કોણ? ભાઈ ! બોલે એ બીજો, બોલે એ આત્મા નહિ. આત્મા બોલવાનો ભાવ-રાગ કરે એ બીજી વાત છે, પણ આત્મા બોલે નહિ. શબ્દ છે એ તો ભાષાવર્ગણાનું પર્યાયરૂપ પરિણમન છે. એમાં જીવ નિમિત્ત છે. આ ધ્વનિ જે ઊઠે છે એ તો જડની (પૌલિક) પર્યાય છે. આત્માથી તે ધ્વનિ ઊઠતી નથી. “ભગવાનની દિવ્યધ્વનિ' એમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર ભગવાનનો આત્મા દિવ્યધ્વનિનો કરનારો (ક્ત) નથી. દિવ્યધ્વનિ છે તે તેના કારણે ભાષાવર્ગણામાં ભાષારૂપ (શબ્દરૂપ) પર્યાય થવાની જન્મક્ષણ છે તેને લઈને થાય છે. આ આત્માને ધર્મ કેમ થાય એની વાત ચાલે છે હોં. શબ્દ મારાથી (જીવથી) થાય એમ માનવું એ મિથ્યાત્વ છે અધર્મ છે. શબ્દ જે થાય તેને સ્વના જ્ઞાનપૂર્વક હું જાણું એવી યથાર્થ માન્યતા (નિર્વિકલ્પ પ્રતીતિ) એનું નામ ધર્મ છે. પ્રશ્ન- જ્ઞાન છે તે શબ્દનો í છે એમ ધવલમાં આવે છે ને? ઉત્તર- હા, આવો પ્રશ્ન “ખાનિયા ચર્ચા માં પણ આવ્યો છે. ભાઈ ! એ તો ત્યાં નિમિત્તપણું બતાવ્યું છે. જ્ઞાન કાંઈ શબ્દની પર્યાયનો ર્તા નથી. શબ્દની પર્યાયકાળ જ્ઞાન તેમાં નિમિત્ત છે તેથી ઉપચારથી જ્ઞાન શબ્દનો í છે એમ કહ્યું છે, ખરેખર í છે નહિ. લોકાલોક છે તે કેવળજ્ઞાનમાં નિમિત્ત છે (લોકાલોકમાં શબ્દો પણ આવી ગયા), એનો અર્થ શું? કે લોકાલોક લોકાલોકથી છે અને કેવળજ્ઞાન કેવળજ્ઞાનથી છે. લોકાલોકને કારણે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. કેવળજ્ઞાનની પર્યાયનું પરિણમન (લોકાલોકથી નિરપેક્ષ ) સ્વયં સ્વતંત્ર છે અને લોકાલોકની હયાતી (કેવળજ્ઞાનથી નિરપેક્ષ) સ્વયં સ્વતંત્ર છે. કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્દભૂત-વ્યવહારનયનો વિષય છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે. શ્રી સમયસાર કળશટીકામાં કળશ ૨૭૧માં આવે છે કે-“હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા શય-એમ તો નથી. તો કેમ છે?' કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને શેય પોતે જ છે. અહીં કહે છે કે શબ્દનું જ્ઞાન શબ્દને લઈને થતું નથી. શબ્દની પર્યાયનું જ્ઞાન આત્મામાં પોતાને કારણે થાય છે. વળી જે શબ્દપર્યાય છે તે આત્માથી થાય છે એમ નથી કેમકે આત્મા પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે. આમ શબ્દપર્યાય છે તે જ્ઞાયકસ્વભાવી આત્મામાં વિદ્યમાન નથી માટે આત્મા અશબ્દ છે. અહો ! શું ગજબ ભેદજ્ઞાનની વાત છે !! બીજો બોલ- પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. પહેલા બોલમાં જીવ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન કહ્યો હતો અને આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy