________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પણ રસ ચાખતો નથી માટે અરસ છે. કેવી અદ્ભુત ભેદજ્ઞાનની વાત! આવી વાતને અભ્યાસ કરીને સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ તેથી શું?
પાંચમો બોલઃ- સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન-પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. આત્મા અખંડ જ્ઞાયકભાવરૂપ વસ્તુ છે. તે પાંચેય ઇન્દ્રિયોના વિષયને અખંડપણે જાણનારો છે. એક જ ઇન્દ્રિયવિષયનું વેદન અર્થાત્ જાણવું એવો આત્માનો સ્વભાવ નથી. પાંચેય ઇન્દ્રિયના જ્ઞાનનું સંવેદન એકસાથે થાય એવો આત્માનો સ્વભાવ છે. તેથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને અર્થાત્ એક રસના જ જ્ઞાનને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે.
પાંચ બોલ ચાલી ગયા. હવે છઠ્ઠો બોલઃ- સકળ શેય-જ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. જુઓ વિશ્વ આખું જ્ઞય છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. સર્વ શેયોને જાણવાનું જ્ઞાયક આત્માનું પોતાનું સામર્થ્ય છે તેથી જ્ઞય-જ્ઞાયક સંબંધનો વ્યવહાર હોવા છતાં શેય-જ્ઞાયકના તાદાભ્યનો એટલે એકરૂપપણાનો નિષેધ છે. એટલે જ્ઞયને જાણવા છતાં જ્ઞાયક જ્ઞયરૂપે થતો નથી. આ જે રસ છે તે જ્ઞય છે અને આત્મા તેને જાણનારો જ્ઞાયક છે. રસરૂપ જ્ઞયને જાણવા છતાં આત્માનું જ્ઞાન શેયપણે એટલે રસરૂપે થતું નથી. [તેમ જ રસને જાણતાં જ્ઞાન રસજ્ઞાનરૂપ (રસના જ્ઞાનરૂપ) થઈ જતું નથી.] તેમ જ રસ (જ્ઞય) જ્ઞાનમાં જણાતાં રસ (જ્ઞય) જ્ઞાનરૂપ થતું નથી, જ્ઞાન જ્ઞાનરૂપે જ રહે છે, રસ રસરૂપે જ રહે છે. ( જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે.) રસનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનું પરિણમન છે અને તે રસને લઈને નથી. તથા રસ જે શેય છે તે જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. આમ રસના જ્ઞાનરૂપે પોતે પરિણમતાં છતાં પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. આમ છ પ્રકારે રસના નિષેધથી આત્મા અરસ છે. એમ તું જાણે એમ શિષ્યને પ્રતિબોધ કર્યો છે.
આ જ પ્રમાણે આત્મા અરૂપ, અગંધ, અસ્પર્શ છે એમ છ બોલથી સમજી લેવું. રસ, રૂપ, ગંધ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલના ગુણો છે અને તે સર્વથી ભિન્ન જ્ઞાયક-વસ્તુ આત્મા છે. માટે આત્મા અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ છે એમ નિશ્ચયથી જાણવું.
હવે શબ્દની વાત કરે છે. જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિધમાન નથી માટે અશબ્દ છે. જુઓ, પહેલાં જે રસ, રૂપ, ગંધ અને સ્પર્શ કહ્યા એ તો પુદગલના ગુણો છે. પણ આ શબ્દ છે એ ગુણ નથી પણ પુગલના સ્કંધની પર્યાય છે. ખરેખર પુદગલદ્રવ્યથી અન્ય એટલે ભિન્ન છે. તેથી શબ્દપર્યાય જીવમાં વિદ્યમાન નથી. આ શબ્દ જે બોલાય છે તે આત્મામાં નથી. આત્માથી નથી. હું ! તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com