________________
૬૨ ]
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
( અનુટુમ્ ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावा: पौद्गलिका अमी ।। ३६ ।।
વ્યાસ
જેનો
શ્લોકાર્થ:- [ વિત્—શત્તિ-વ્યાપ્ત-સર્વસ્વ-સાર: ] ચૈતન્યશક્તિથી સર્વસ્વ-સાર છે એવો [ત્રયમ્ નીવ: ] આ જીવ [ફયાન્] એટલો જ માત્ર છે; [ અત: અતિરિōા: ] આ ચિશક્તિથી શૂન્ય [સમી માવાઃ] જે આ ભાવો છે [ સર્વે અપિ] તે બધાય [ પૌન્નત્તિા: ] પુદ્દગલજન્ય છે-પુદ્દગલના જ છે. ૩૬.
* સમયસાર ગાથા ૪૯ : મથાળું *
પ્રભુ! આપ જ્યારે એમ કહો છો કે પુણ્ય-પાપના ભાવ એ આત્મા નથી તો આત્મા છે કેવો ? પાછલી ગાથામાં એમ કહ્યું કે અનેક પ્રકારના રાગમાં જીવ વ્યાપતો નથી, જીવ તો એકસ્વરૂપ જ છે. તો તે જીવનું સ્વરૂપ શું છે? પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પનાના ભાવ, કર્મ ને આત્મા બન્ને એક હોવાનો ભાવ ઇત્યાદિ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. તો એક, ટંકોત્કીર્ણ, ૫૨માર્થસ્વરૂપ જીવ કેવો છે? આવો શિષ્યનો પ્રશ્ન છે તેના ઉત્તરરૂપે ગાથા કહે
છે.
આ ગાથા શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી અષ્ટપાહુડ તથા શ્રી ધવલ એમ અનેક શાસ્ત્રોમાં છે. ગાથામાં ‘નાળ’ શબ્દ પડયો છે. એ શબ્દ દ્વારા શ્રી કુંદકુંદાચાર્યદેવ શિષ્યને એમ કહે છે કે હે ભાઈ ! તું આત્માને આવો જાણ.
* ગાથા ૪૯ ટીકા ઉ૫૨નું પ્રવચન *
જે જીવ છે તે ખરેખર પુદ્દગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ૨સગુણ વિધમાન નથી માટે અરસ છે. ખરેખર અર્થાત્ યથાર્થપણે આત્મા પુદ્દગલદ્રવ્યથી અન્ય એટલે જુદો છે. ૫૨માર્થે આત્માને પુદ્દગલ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. શરી૨ અને કર્મ સાથે આત્માને જે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તે વ્યવહાર છે. તે જ્ઞાન કરવા માટે છે પણ આશ્રય કરવા માટે નથી. આશ્રય કરવા માટે તો એક ત્રિકાળી (ધ્રુવ) આત્મા જ છે.
અહીં કહે છે કે જીવદ્રવ્ય પુદ્દગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મામાં અતીન્દ્રિય ( આનંદનો, ચૈતન્યનો) રસ છે પણ પુદ્દગલનો
જડ રસ આત્મામાં નથી માટે આત્મા અરસ છે.
વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં જીવદ્રવ્ય પાંચ દ્રવ્યોથી ભિન્ન છે. પણ અહીં જીવદ્રવ્ય પુદ્દગલથી ભિન્ન બતાવવું છે કેમકે મુખ્યપણે જીવ પુદ્દગલમાં જ એકત્વ કરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com