SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૯ ] | [ ૬૧ (માલિની) सकलमपि विहायाहाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।।३५ ।। આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવન) અલિંગગ્રહણ કહેવામાં આવે છે. પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રામીભૂત કરી જાણે કે અત્યંત તૃતિ વડે ઠરી ગયો હોય તેમ ( અર્થાત્ અત્યત સ્વરૂપ-સૌખ્ય વડે તૃસ તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુવમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ ) સ્વભાવભૂત છે. -આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે - શ્લોકાર્થ- [ વિ–શ9િ–રિ$] ચિન્શક્તિથી રહિત [ સનમ્ પિ] અન્ય સકળ ભાવોને [ સહાય ] મૂળથી [વિદીય] છોડીને [૨] અને [cતરમ્] પ્રગટપણે [ā વિ– મિત્રમ] પોતાના ચિક્તિમાત્ર ભાવનું [ અવહ્યિ] અવગાહન કરીને, [ માત્મા] ભવ્ય આત્મા [ વિશ્વસ્ય પરિ] સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર [વો વરન્ત] સુંદર રીતે પ્રવર્તતા એવા [મમ્] આ [૫રમ્] એક કેવળ [ સનન્] અવિનાશી [માત્માનન્] આત્માનો [ કાત્મનિ] આત્મામાં જ [સાક્ષાત્ ત્રયg] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો. ભાવાર્થ:- આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫. હવે ચિ7ક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે - Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy