________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૬ ]
[ પ૩ દર્શાવવો ન્યાયસંગત છે. પણ એનો અર્થ એમ નથી કે મંદરાગરૂપ વ્યવહાર તે મોક્ષનું કે મોક્ષમાર્ગનું કારણ છે.
* ગાથા ૪૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
પરમાર્થનય તો જીવને શરીર તથા રાગ-દ્વેષ-મોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગ-દ્વેષ-મોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ-દ્વેષ-મોહથી બંધ થતો નથી એમ ઠરશે. આમ પરમાર્થે જે સંસારમોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પણ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. પરમાર્થથી જે સંસાર-મોક્ષનો અભાવ કહ્યો તે એકાંતે નથી. બંધ-મોક્ષ પર્યાયમાં તો છે જ. બંધ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એ બધી પર્યાયોનો વ્યવહાર અવશ્ય છે.
એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાય છે. અર્થાત્ વ્યવહારનયનો વિષય પણ છે. આ રીતે સ્યાદ્વાદથી બને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે. એ નયોનો વિરોધ કેવી રીતે મટાડવો? સ્યાદ્વાદથી. પર્યાયથી જુઓ તો રાગ-દ્વેષ-મોટુ આદિ સાથે સંબંધ છે. વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો સંબંધ નથી. પર્યાય છે, પર્યાયમાં રાગ-દ્વેષ છે એનું જ્ઞાન કરવું પણ જિનવચનમાં જે એકને જ ઉપાદેય કહ્યો છે એ શુદ્ધ ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્માનો આશ્રય કરવો. એમ બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરતાં સમ્યકત્વ થાય છે.
જિનવચનમાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જીવવસ્તુ ઉપાદેય કહી છે. છતાં પર્યાય, રાગ-દ્વેષ, બંધ-મોક્ષ ઇત્યાદિ બધો પર્યાયનયનો, વ્યવહારનયનો વિષય છે ખરો, પણ તે આશ્રય કરવા લાયક નથી. તથાપિ “એ નથી” એમ પણ સમજવા લાયક નથી.
[ પ્રવચન . ૯૩-૯૪ *
દિનાંક ૧૨-૬-૭૬ થી ૧૬-૬૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com