________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
શ્લોકાર્થ- અહો જ્ઞાની જનો! [ રૂદ્ર વસિયન્] આ વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો છે તે બધાય [ સ્ય પુર્તસ્ય હિ નિર્માણમ] એક પુદ્ગલની રચના [ વિસ્તૃ] જાણો; [ તત:] માટે [ રૂદ્ર] આ ભાવો [ પુદ્ર: વ સ્તુ] પુદ્ગલ જ હો, [ન માત્મા ] આત્મા ન હો; [યત: ] કારણ કે [સ: વિજ્ઞાન :] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે, [ તત:] તેથી [ કન્ય:] આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯.
* શ્રી સમયસાર ગાથા-૬૫-૬૬ મથાળું *
આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી-એમ હવે કહે છે:
* ગાથા ૬૫-૬૬ : ટીકા ઉપરનું પ્રવચન *
ઝીણી વાત છે, પ્રભુ! ધર્મ સમજવો એ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! અનંતકાળમાં એ (અજ્ઞાની) અનેકવાર ત્યાગી થયો, હજારો રાણીઓ છોડી નગ્ન દિગંબર સાધુ થઈને જંગલમાં રહ્યો, પરંતુ ચૈતન્યસ્વરૂપ પોતાનો આત્મા રાગની ક્રિયાથી રહિત છે એવું એણે કદીય ભાન કર્યું નથી. રાગની ક્રિયા કરતાં કરતાં આત્મા હાથ આવશે એમ માનનારે જડની ક્રિયા કરતાં કરતાં ચૈતન્ય પ્રાપ્ત થશે એમ માન્યું છે. આવું માનનારને અહીં કહે છે કે-નિશ્ચયનય કર્મ અને કરણનું અભિન્નપણું છે. શું કહ્યું? કે સત્યાર્થદષ્ટિએ કર્મ એટલે કાર્ય અને કરણ એટલે એનું કારણસાધન એ બે એકમેક છે, અભિન્ન છે. માટે જે જેના વડે કરાય છે તે, તે જ છે. કર્મ અને કરણ બે જુદાં (દ્રવ્યો) ન હોય. એટલે કે સાધન અને કાર્ય અર્થાત્ કારણ અને કાર્ય બે ભિન્ન નથી, એકમેક જ છે. જે જેના વડે કરાય છે તે, તે જ છે. હવે દષ્ટાંત આપે છે:
સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાય છે માટે તે સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. શું કહે છે? કે સોનાથી જે પાનું થાય છે તે સોનું જ છે. તે પાનું કાંઈ સોનીથી થયું છે એમ નથી. અહાહા! દષ્ટાંત પણ સમજવું કઠણ પડે એમ છે. સોનું વસ્તુ છે. એને ઘડતાં એમાંથી પાનું થાય છે. એ કાર્યનું કરણ-કારણ સોનું છે, સોની નહિ, કારણ કે કરણ અને કાર્ય અભિન્ન હોય છે. કરણ એક હોય અને કાર્ય એનાથી ભિન્ન હોય એમ બની શકે નહિ.
પ્રશ્ન- નિમિત્તથી કાર્ય થાય છે ને? નિમિત્ત સાધન હોય છે ને?
ઉત્તર- અહીં તો નિમિત્તની વાત જ નથી લીધી. નિમિત્તનો અર્થ તો એ (નિમિત્ત) છે” બસ એટલો જ છે. બાકી એ કાંઈ સાધન છે એમ નથી. આકરી વાત, બાપુ! લીધું છે ને કે બીજુ કાંઈ નથી.” એનો અર્થ જ એ છે કે સોનાના પાનારૂપે થયું છે એ સોનું જ છે, તેને સોનીએ કર્યું છે એમ છે જ નહિ. સોનું એ કરણ છે અને જે પાનું થયું એ એનું કર્મ એટલે કાર્ય છે, કારણ કે કાર્ય અને કરણ બન્ને એક જ વસ્તુમાં હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com