________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
*
T
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
जीवकर्मोभयं द्वे अपि खलु केचिज्जीवमिच्छन्ति। अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छन्ति।। ४२ ।।
एवंविधा बहविधाः परमात्मानं वदन्ति दर्मेधसः। ते न परमार्थवादिनः निश्चयवादिभिर्निर्दिष्टाः।। ४३ ।।
તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે [ :] તે [નીવ: મવતિ] જીવ છે” એમ [ 5નુમાન્] કર્મના અનુભાગને [ઋત્તિ] જીવ ઇચ્છે છે (માને છે). [વવિ] કોઈ [ નીવવમયં] જીવ અને કર્મ [ પિ 7] બને મળેલાંને જ [ નીવન ઋત્તિ] જીવ માને છે [ તુ] અને [પરે ] અન્ય કોઈ [ર્મનાં સંયોગોન] કર્મના સંયોગથી જ [ નીવમ્ રૂછત્તિ] જીવ માને છે. [વંવિધા: ] આ પ્રકારના તથા [ વહુવિધા: ] અન્ય પણ ઘણા પ્રકારના [ સુધસ:] દુર્બુદ્ધિઓ-મિથ્યા-દષ્ટિઓ [૫રમ્] પરને [માત્માનં] આત્મા [વન્તિ] કહે છે. [તે] તેમને [ નિશ્ચયવનિમ:] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [ પરમાર્થવાનિ:] પરમાર્થવાદી (-સત્યાર્થ કહેનારા ) [ન નિર્વિણા:] કહ્યા નથી.
ટીકાઃ- આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થ ભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્
સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે રૂપે ક્રિીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જાદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઇ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઇ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૫. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જાદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com