________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૩
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।। ३३ ।।
अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।। ३९ ।।
अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।। ४० ।।
[ વિસતિ] પ્રગટ થાય છે. કેવું છે તે? [પાર્ષવાન] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [ નીવ નીવ-વિવે–પુર્ન—દશા] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્વળ નિર્દોષ દષ્ટિ વડે [ પ્રત્યાયયત ] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [સાસંસાર– નિવર્લ્ડ–વશ્વન–વિધિ–āસા ] અનાદિ સંસારથી જેમનું બંધન દઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [ વિશુદ્ધ] વિશુદ્ધ થયું છે, [૮] ફૂટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [બત્મ—મારામ] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત યોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના
સ્વરૂપમાં જ રમે છે; [ગનન્તધામ] જેનો પ્રકાશ અનંત છે; [અધ્યક્ષે મહા નિત્ય] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [વીરોવાર્] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ ) છે અને તેથી [બનાd] અનાકુળ છે–સર્વ ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.
ભાવાર્થ- આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાદષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે -
કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે, છે કર્મ, અધ્યવસાન તે જીવ’ એમ એ નિરૂપણ કરે! ૩૯.
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com