________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અબદ્ધ [ પુતં દ્રવ્ય ] પુદ્ગલ દ્રવ્ય [મન] મારું છે. આચાર્ય કહે છે: [ સર્વજ્ઞજ્ઞાનદE:] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો છે [ નિત્યમ્ ] સદા [૩૫યો નક્ષT:] ઉપયોગલક્ષણવાળો [ નીવ:] જીવ છે [+:] તે [પુનિંદ્રવ્યોમૂત:] પુદ્ગલદ્રવ્યરૂપ [ N] કેમ થઈ શકે [યત ] કે [ મસિ ] તું કહે છે કે [ફર્વ મમ] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [ ] જો [ સા ] જીવદ્રવ્ય [પુત્રી દ્રવ્યમૂત: ] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [ રૂતરત્] પુદ્ગલદ્રવ્ય [નીવ7] જીવપણાને [ીતિમ ] પામે [તત્] તો [વડું શp:] તું કહી શકે [ ] કે [ રૂદ્ર પુનું દ્રવ્યમ્ ] આ પુદ્ગલદ્રવ્ય [ મ મ ] મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકા- એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે–એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને “આ મારું છે” એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ થત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધીથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે–દેખાતો નથી તેથી પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે :દુરાત્મન્ ! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી સ્ફટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું “આ પુદ્ગલદ્રવ્ય મારું છે' એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી ” એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું ) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં
* આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com