SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૭પ એકત્વબુદ્ધિ કરીને મરી ગયો (સંસારમાં રખડ્યો). પણ ભાઈ ! પહેલાંય શરીર તારું કયારે હતું અને અત્યારે પણ તારું કયાં છે? કોઈ કાળે પણ (પરમાં) પ્રવૃત્તિ તું માને એમ થતી નથી. મોક્ષ અધિકારમાં એમ લીધું છે કે રાગ અને ભગવાન આત્મા વચ્ચે સંધિ છે, તડ છે, નિઃસંધિ-એક કદીય થયા નથી. આવો પાઠ છે. ફક્ત તે એમ માન્યું છે કે આ રાગ, પુષ્ય, વિકલ્પ ઇત્યાદિ મારાં. એ તારી માન્યતામાં નિઃસંધિ-એકપણું છે. બાકી ખરેખર બે વચ્ચે સંધિ-તડ છે. આ લોકમાં આત્મા છે એ અનાત્મા સાથે કોઈ પ્રકારે ખરેખર એકપણું પામતો નથી, કારણ કે તે એક છે. તે બગડે બે થતો નથી. એકડે એક અને બગડ બે. આત્મા એકપણે છે અને રાગ બીજી ચીજ છે. આત્મા રાગ સાથે એકપણું પામતો નથી, જો એકપણું પામે તો તે આત્મા બગડી જાય, બગડ બે થઈ જાય. પરંતુ આત્મા બધાય અન્ય દ્રવ્ય-રાગાદિ વિકલ્પો સાથે એકરૂપ થતો નથી કેમકે તે એક “વ:” છે. આ ધર્મની રીત છે. * કળશ : ૨૨ ભાવાર્થ * આત્મા કોઈ કાળે અને કોઈ પ્રકારે પરદ્રવ્ય સાથે એટલે રાગ, શરીર, મન, વાણી, કર્મ, દેશ, જડ ઇન્દ્રિયો સાથે, અરે ખંડ ખંડ ભાવેન્દ્રિયો સાથે એક્તાભાવને પામતો નથી. આ રીતે આચાર્ય અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો મોહ એટલે પરમાં થયેલી સાવધાનીથી આત્માનું ભેદજ્ઞાન બતાવ્યું છે, અને પ્રેરણા કરી છે કે એ એકપણાના મોહને હવે છોડો. રાગાદિ સાથેના એકપણાને હવે છોડી આત્મા એક છે એની સાથે એક્તા પ્રાપ્ત કરો, જ્ઞાનસ્વભાવ સાથે એકપણું પ્રગટ કરો, નિજ જ્ઞાનસ્વરૂપ આત્માના આનંદને આસ્વાદો-જ્ઞાનને આસ્વાદો. અહો ! અમૃતચંદ્રાચાર્યના કળશો ઘણા ગંભીર છે. એમની ટીકા પણ ઘણી ગંભીર છે. શાસ્ત્રોમાં કાંઈ ભાવ ભર્યા છે એમણે! જેમ આંચળમાંથી દૂધ સંભાળપૂર્વક દોહીને કાઢે તેમ શાસ્ત્રોમાં ભરેલા ભાવો તર્કની ભીંસ દઈને કાઢયા છે, ટીકામાં ભર્યા છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ (ચૈતન્યસ્વરૂપ) છે. રાગભાવ એ અચેતનસ્વરૂપ છે. ચાહે તો દયા, દાન, કે વ્રતનો વિકલ્પ હો કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો, એ (સઘળા) વિકલ્પ અચેતન છે. તેમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. રાગમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. માટે તે રાગનું આસ્વાદવું છોડી આ જ્ઞાનસ્વરૂપ આત્માને આસ્વાદો. ભગવાન આત્મામાં આનંદ, સુખનો આસ્વાદ છે. અનાદિકાળથી રાગનો આસ્વાદ કર્યો તે કાંઈ નવીન નથી. તેથ જ્ઞાનને આસ્વાદો એમ કહે છે. દુ:ખન LLLL ના મોહ છે તે વૃથા છે.” ભાષા જુઓ. મોહ છે તે વૃથા અને અમોહ તે સફળ. મોહ કહેતાં પરમાં સાવધાની તે વૃથા-અફળ (મોક્ષ માટે છે.) અને અમોહ કહેતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy