SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ આ પાંચ અણુવ્રત, પાંચ મહાવ્રત વગેરેના શુભભાવ એ મારા છે એમ જ્ઞાનીએ માન્યું નથી, પણ એ પરય તરીકે છે, સ્વર્શયમાં નહિ. તેથી તેના ફળ તરીકે જે કર્મનું બંધન પડયું એ પણ પરય તરીકે છે. મને બંધન છે, હું બંધાણો એમ જ્ઞાની માનતો નથી. તથા એના ફળમાં જે સંયોગ મળે તે પણ એને પરશેય છે. સંયોગ મારા છે એમ જ્ઞાની માનતો નથી. સમ્યગ્દષ્ટિ ધર્મીને આત્માનો સ્વાદ રુચિકર છે. રુચિકર એટલે આનંદ આપનારો. રુચિ-શ્રદ્ધા-પ્રતીતિની વ્યાખ્યા આ છે કે-એને પ્રત્યક્ષ (આત્માના) આનંદનો સ્વાદ આવ્યો તે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે. આ જૈનધર્મ છે જાઓ, જૈનદર્શન એ વસ્તુદર્શન છે. બધાને ભેગા કરીને વિશ્વધર્મ વિશ્વધર્મ કહે પણ એ વિશ્વધર્મ છે જ નહિ. ભગવાન સર્વજ્ઞદેવે કહેલો એક જ માર્ગ વિશ્વધર્મ-જૈનધર્મ છે. એને બીજા કોઈ ધર્મ સાથે મેળ છે નહિ. ભાઈ, બીજાને ઠીક લાગે કે ન લાગે, પણ વસ્તુ તો આ છે. વસ્તુ જ્ઞાનાનંદસ્વભાવી જે જ્ઞાયક આત્મા તેની રુચિ કરતાં જે જ્ઞાન અને આનંદની શક્તિ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે, તેને આસ્વાદો એમ કહે છે. આ માર્ગ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. કુંદકુંદાચાર્યની એક ગાથા છે કે સમક્તિ જેવી કલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી અને મિથ્યાત્વ જેવી અકલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી. તેથી અહીં કહે છે કે રસિકજનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન તે આસ્વાદો, કારણ કે “દ” આ લોકમાં “લાત્મા વિન’ આત્મા છે તે ખરેખર “વફથમ પિ' કોઈ પ્રકારે “નાત્મના સામ” અનાત્મા (પરદ્રવ્ય) સાથે “વા”િ કોઈ કાળે તાવાગ્યવૃત્તિમ્ ન વનયતિ” તાદામ્યવૃત્તિ (એકપણું ) પામતો નથી. અનાત્મા એટલે રાગથી માંડીને બધી ચીજો અનાત્મા છે. આ આત્માની અપેક્ષાએ સિદ્ધ ભગવાન પણ અનાત્મા છે. અહાહા! અહીં કહે છે કે કોઈ પણ પ્રકારે કોઈ કાળે ભગવાન આત્મા પદ્રવ્ય સાથે એકરૂપ થતો નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ગુણ-ગુણીના ભેદના વિકલ્પથી માંડીને બધાય જે અનાત્મા-પરદ્રવ્ય તેની સાથે એકપણાને પામતો નથી. આવો ધર્મ અને આવો માર્ગ! અહાહા ! પ્રશ્ન:-દયા પાળવી, વ્રત કરવાં એ તો તમે કહેતા નથી? ઉત્તર-સાંભળને બાપા! એ દયા અને વ્રતનો જે વિકલ્પ છે એમાં તારી દયા નથી. પરની દયા પાળવાનો વિકલ્પ એ શુભભાવ છે. (સ્વરૂપની હિંસા છે.) બાપુ! સ્વના આશ્રયનો માર્ગ કોઈ અલૌકિક છે. તેથી પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કર એમ કહે છે. આત્મા રાગ અને પર સાથે કદી પણ એક્તા પામતો નથી. કારણ કે વ:' આત્મા એક છે. તે અન્ય દ્રવ્ય સાથે એકરૂપ થયો નથી. જુઓ એક કળશમાં કેટલું ભર્યું છે? અમારી આંખ સારી હતી, હમણાં જરા બગડી છે, અમારું શરીર અત્યાર સુધી નીરોગી રહ્યું છે, કોઈ દિવસ સુંઠ પણ ચોપડી નથી ઇત્યાદિ. આમ અમારું' અમારું એવી પર સાથે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy