________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
[ સવિત્તાવિત્તમિશ્ર વ] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક-તેને એમ સમજે કે [અહં તત્] હું આ છું, [yતત્ અન્] આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, [અહમ્ તત્ત્વ અસ્મિ] હું આનો છું, [yતત્ મમ અસ્તિ] આ મારું છે, [તંત્ મમ પૂર્વમ્ આસીત્] આ મારું પૂર્વે હતું, [yતસ્ય અહમ્ અપિ પૂર્વમ્ આસક્] આનો હું પણ પૂર્વે હતો, [yતત્ મમ પુન: ભવિષ્યતિ] આ મારું ભવિષ્યમાં થશે, [અન્ અપિ તસ્ય ભવિષ્યામિ] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, [તંત્તુ અસભૂતમ્ ] આવો જૂઠો [ આત્મવિi] આત્મવિકલ્પ [રોતિ] કરે છે તે [ સમ્મૂ: ] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [g] અને જે પુરુષ [મૂતાર્થ] ૫૨માર્થ વસ્તુસ્વરૂપને [ ખાનન્] જાણતો થકો [તક્] એવો જૂઠો વિકલ્પ [ન રોતિ] નથી કરતો તે [અસમ્મૂ: ] મૂઢ નથી,
જ્ઞાની છે.
ટીકા:- (દષ્ટાંતથી સમજાવે છેઃ) જેમ કોઈ પુરુષ ઈધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઈંધન છે, બંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, બંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, બંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે”;–આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ ( આત્માનો વિકલ્પ ) કરે કે “હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે; મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ ”;–આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
66
વળી અગ્નિ છે તે બંધન નથી, બંધન છે તે અગ્નિ નથી, -અગ્નિ છે તે અગ્નિ જ છે, બંધન છે તે બંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, બંધનનો અગ્નિ નથી, –અગ્નિનો જ અગ્નિ છે, બંધનનું બંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, બંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, –અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, –અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન જ ભવિષ્યમાં થશે;”–આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, −હું તો હું જ છું, ૫દ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પદ્રવ્યનો હું નથી, –મારો જ હું છું, પરદ્રવ્યનું પદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં તો નહિ, –મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, “હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પરદ્રવ્ય ) નું આ (પરદ્રવ્ય ) ભવિષ્યમાં થશે.”–આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com