________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮]
[ ૪૩
તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે?” અહીં શિષ્ય એમ કહે છે કે આત્મા અને જ્ઞાન બને તસ્વરૂપ છે, એકરૂપ છે. જેમ સાકરને મીઠાશ તદ્રુપ છે, જુદાં નથી; જેમ અગ્નિ સ્વભાવવાન અને ઉષ્ણતા તેનો સ્વભાવ-એ બન્ને એકરૂપ છે, જુદાં નથી તેમ આત્મા સ્વભાવવાન અને જ્ઞાન તેનો સ્વભાવ-એ બન્ને એકરૂપ છે, જુદા નથી. આમ જ્ઞાન અને આત્મા બન્ને અભેદ છે, એકરૂપ છે, જુદા નથી. તેથી આત્મા સદાય જ્ઞાનને સેવે જ છે. તો પછી જ્ઞાનને સેવવો, આત્માને સેવવો-એમ તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે?
તેનું સમાધાનઃ-તે એમ નથી,” કેમકે જ્ઞાન અને આત્મા અભેદ છે એવી (અનુભવરૂપ) પર્યાય પ્રગટ કરે તો સેવા કરી કહેવાય. ત્રણ વાત કરી છે ને? દ્રવ્ય તે આત્મા, જ્ઞાન તે સ્વભાવ અને એ સ્વભાવની એક્તા કરે તે સેવા એ પર્યાય. કેવી ગજબ શૈલી લીધી છે? કહે છે-“તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી.' એટલે કે જ્ઞાન તે આત્મા એમ પર્યાયમાં એક્તા કરતો નથી તેથી જ્ઞાનને સેવતો નથી. લ્યો આ સેવા. ભગવાનની સેવા મૂકી દઈને આ સેવા તે સેવા છે. ભાઈ, ભગવાનની સેવાના ભાવ એ તો પુણ્ય છે, શુભભાવ છે (અશુદ્ધભાવ છે) અને આ નિજપરમાત્માની સેવા-એકાગ્રતા એ શુદ્ધભાવ છે, ધર્મ છે. એક સમયમાત્ર પણ જ્ઞાન તે આત્મા એવી અંતર અનુભવદેશા એણે કરી નથી એટલે એ જ્ઞાનને સેવતો જ નથી. એ તો પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગને સેવે છે.
કર્તા-કર્મ અધિકાર, ગાથા ૬૯-૭૦ માં આવે છે કે – “આ આત્મા, જેમને તાદામ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે.” જાઓ, જ્ઞાન તે આત્મા એમ જ્ઞાનમાં પોતાપણે વર્તે તે જ્ઞાનનું-આત્માનું સેવન છે. જે આત્મા વસ્તુ છે તેની અસ્તિ-સત્તા જ્ઞાનસ્વભાવ સાથે તાદાભ્યરૂપે છે, પરંતુ તાદાભ્યરૂપે છે એવી દષ્ટિ કરીને પર્યાયમાં એની એકાગ્રતા કરતો નથી. તેથી તે ક્ષણમાત્ર પણ આત્માને સેવતો નથી. અહાહા ! પર્યાયને અંતર્મુખ વાળીને જ્ઞાન તે આત્મા એમ તદ્રુપસ્વરૂપમાં એકાગ્ર થઈ એને જાણે તો એણે જ્ઞાનની સેવા કરી કહેવાય. આ સિવાય બધી રાગની સેવા છે, પણ આત્માની સેવા નથી.
આ જ્ઞાનની ક્રિયા વિના આત્માની સેવા થતી નથી. ક્રિયા ત્રણ પ્રકારે છે:- (૧) જડની ક્રિયા-જડનું પરિણમવું, બદલવું તે. (૨) વિકારની ક્રિયા-દયા, દાન, વ્રતાદિના પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ક્રોધાદિના પરિણામ તે. (૩) જ્ઞાનની ક્રિયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com