________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
| [ ગાથા-૧૭-૧૮
શ્લોકાર્ધ - આચાર્ય કહે છે કેઃ [સનન્તચૈતન્યવિÉ] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી [ રૂમ્ ત્મિળ્યોતિઃ] આ આત્મજ્યોતિને [ સતતમ્ અનુમવામ:] અમે નિરંતર અનુભવીએ છીએ [વરમાત્] કારણ કે [ ન્યથા સાથ્યસિદ્ધિ: ન વસ્તુ ન વ7] તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [થમ્ પિ સમુપાત્રિત્વમ્ માપ છતાયા: પતિતત્] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને [કચ્છમ્ ૩ છત્] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકા:- હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન: તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) -એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તર: એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
* ગાથા ૧૭-૧૮: ટીકા ઉપરનું પ્રવચન *
નિશ્ચયથી એટલે ખરેખર જેમ કોઈ ધન-અર્થી-લક્ષ્મીની જરૂરિયાતવાળો પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે. એનાં કપડાં, શરીર, વૈભવ, એનો ચહેરો, કપાળ વગેરે લક્ષણોથી પ્રથમ જાણે કે આ રાજા છે. લક્ષ્મીવંત છે, ઉપજ ઘણી છે, શરીરમાં પણ પુણ્ય દેખાય છે માટે આ રાજા છે. પછી તેની શ્રદ્ધા કરે કે આ જરૂર રાજા જ છે, તેનું સેવન કરવાથી જરૂર ધનની પ્રાપ્તિ થશે. ત્યાર પછી તેનું અનુચરણ કરે, એટલે એની આજ્ઞા પ્રમાણે રહે, એની સેવા કરે અને એને પ્રસન્ન કરે. જુઓ, આ દષ્ટાંત છે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. જુઓ, પહેલામાં પહેલું એને કરવાનું
હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com