SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૬] [ ૧૩ બધી (શાસ્ત્રોની) સાક્ષી અહીં પડી છે. આ તો જૈનધર્મવીતરાગનો માર્ગ છે. સર્વજ્ઞ વીતરાગદેવે ગણધર અને ઇન્દ્રોની વચ્ચે સમવસરણમાં જે દિવ્યધ્વનિ કરી હતી તે આ છે. હવે ભાવાર્થમાં પંડિત જયચંદજી કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે આત્માની જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું-એ નિશ્ચય છે. અને વ્યવહારથી અન્યને એ જ ઉપદેશ આપવો. ઉપદેશ એ વ્યવહાર વિકલ્પરૂપ છે. હવે, એ જ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે: * કળશ ૧૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પ્રમાણત:' પ્રમાણદષ્ટિથી જોઈએ તો “આત્મા” આ આત્મા “સમન' એકસાથે મેઘવ:' અનેક અવસ્થારૂપ એટલે પર્યાયના ભેદરૂપ મેચક પણ છે “ઘ' અને “સમેવ: 'િ એક અવસ્થારૂપ અભેદ અમેચક પણ છે. હવે એનો ખુલાસો કર્યો કે એને “દર્શન-જ્ઞાન-વારિત્ર: ત્રિવતિ' દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે એ વ્યવહાર છે તથા “સ્વયમ પર્વત:' પોતાને પોતાથી એકપણું છે એ પરમાર્થ છે. એકત્વ એટલે એકરૂપ ત્રિકાળી સ્વભાવ એ એકપણું એ નિશ્ચય અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણું-અનેકપણું એ વ્યવહાર. અહાહા ! શૈલી તો જુઓ. વસ્તુ જ્ઞાયકભાવ એકરૂપ સ્વભાવ, અખંડ જ્ઞાનનો પંજ-સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞસ્વભાવી પદાર્થ એક સ્વભાવ વસ્તુ છે એની દષ્ટિ અને એકાગ્રતા એ નિશ્ચયથી એની સેવના છે અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ભેદને સેવવા એમ કહેવું એ વ્યવહાર કથન છે. વ્યવહાર ભેદરૂપ હોવાથી તેને મલિન કહ્યો છે. એકરૂપ સ્વભાવ નિર્મળ છે અને અનેક સ્વભાવનેમલિન કહેવાનો વ્યવહાર છે. * કળશ ૧૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પ્રમાણદષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એક-અનેકરૂપ દેખવો.” ત્રિકાળ દ્રવ્યપણે એક અને પર્યાયપણે અનેક; દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ અનેક અને આત્મા (દ્રવ્ય) એક. એ બન્નેને પ્રમાણથી એક સાથે દેખવું અને જાણવું એમ કહે છે. “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્રને સેવવાં’ એ વ્યવહારથી કથન છે, એ ભેદ કથન છે, મલિન છે, અનેક સ્વભાવરૂપ કથન છે, જાણવા લાયક છે. પણ એને પહેલાં આત્મા એકરૂપ છે, એક સ્વભાવી છે એવું જ્ઞાન થયું એમાં પર્યાય ત્રણ થઈ ગઈ. એકરૂપ દેખવો એ નિશ્ચય અને ત્રણરૂપ દેખવો એ વ્યવહાર છે. બન્નેને એકીસાથે દેખવો એ પ્રમાણ છે. વસ્તુ જે છે એમાં પરની વાત જ નથી. શરીર, કર્મ, વાણી અને વિકલ્પની તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy