SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૨ (માલિની) इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ।। ३१ ।। અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે-ઢું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, શેયજ્ઞાયભાવમાત્રથી ઊપજેલું પદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન ) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્દગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય ( આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી ). આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ:- [ તિ] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શૈયભાવોથી ભેદજ્ઞાન થતાં [ સર્વે: અન્યમાર્વે: સદ્ઘ વિવેò સતિ] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [ગયં ઉપયોગ: ] આ ઉપયોગ છે તે [ સ્વયં] પોતે જ [પુ ં આત્માનન્] પોતાના એક આત્માને જ [વિષ્રત્] ધારતો, [ પ્રતિપરમાર્થ: વર્શનજ્ઞાનવૃત્ત: તપરિગતિ: ] જેમનો ૫૨માર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [ આત્મ-આરામે વ પ્રવૃત્ત: ] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. ભાવાર્થ:- સર્વ પદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧. હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. આ આત્મા સિવાય સર્વજ્ઞ ૫રમેશ્વર, સિદ્ધ અને નિગોદથી માંડી બીજા બધાય અનંત આત્માઓ અને છયે દ્રવ્યો જે જ્ઞેય છે તે જ્ઞેયોથી ભેદજ્ઞાનની હવે વ્યાખ્યા કરે છે. જ્ઞાયક એવો જીવનો પોતાનો સ્વભાવ છે. તેથી તે જ્ઞેયોને જાણે છે. જે જાણવાનું થાય છે એ કાંઈ જ્ઞેયની પરિણતિ નથી, પરંતુ જ્ઞાનની પરિણતિ છે. છતાં એ જ્ઞાનની પરિણતિ પોતાની છે એમ ન માનતાં જ્ઞેયને પોતાના માને છે એ મિથ્યાદર્શન છે. દેવ, Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy