________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૭.
अथ ज्ञेयभावविवेकप्रकारमाहणत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३७ ।।
नास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः। तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३७ ।।
હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે :
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
* ગાથાર્થઃ- [વૃધ્યતે ] એમ જાણે કે [ ધર્મા]િ “આ ધર્મ આદિ દ્રવ્યો [મમ નારિત] મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, [: ઉપયોT: ga] એક ઉપયોગ છે તે જ [ {] હું છું – [i] એવું જે જાણવું તેને [ સમયસ્ય વિજ્ઞાયT: ] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [ ધર્મનિર્મમત્વે ] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ ઠુવત્તિ] કહે છે.
ટીકાઃ- પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને પ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશકિત વડે ગ્રામીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઇ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવા આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થ એક, અનાકુળ આત્માને
* આ ગાથાનો અર્થ આમ પણ થાય છે:-“ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી. હું એક છું”
એવું ઉપયોગ જ જાણે, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com