________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩પ
अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टान्त इत्यत आहजह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि। तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।। ३५ ।।
यथा नाम कोऽपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति। तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।। ३५ ।।
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દષ્ટાંત-દાર્ટીતની ગાથા કહે છે:
આ પારકું એમ જાણીને પ૨દ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
ગાથાર્થઃ- [વથા નાન] જેમ લોકમાં [ : પિ પુરુષ: ] કોઈ પુરુષ [પદ્રવ્યમ્ રૂદ્રમ્ તિ જ્ઞાત્વી] પરવસ્તુને “આ પરવસ્તુ છે' એમ જાણે ત્યારે એવું જાણીને [ત્યગતિ] પરવસ્તુને ત્યાગે છે, [ તથા] તેવી રીતે [ જ્ઞાની ] જ્ઞાની [સર્વાન] સર્વ [પરમાવાન] પરદ્રવ્યોના ભાવોને [ જ્ઞાત્વા ] “આ પરભાવ છે' એમ જાણીને [વિમુખ્યતિ] તેમને છોડે છે.
ટીકાઃ- જેમ-કોઇ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી,પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (–આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે', ત્યારે વારંવાર કહેલું એ વાકય સાંભળતો તે, ( એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ વસ્ત્ર પારકું જ છે' એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે, જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક ( જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પદ્રવ્યના ભાવો છે), ' ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com