________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સત્યને સત્ય તરીકે રાખીને પ્રસિદ્ધ કરવા–પરમ સત્યની પ્રતીતિ કરાવવા કેવી ગજબ શૈલી લીધી છે એ તો જુઓ!
પરદ્રવ્યને પર તરીકે જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ ન થયું તે જ એનો ત્યાગ છે. રાગના જોડાણથી જ્ઞાનમાં જે અસ્થિરતા હતી તે જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં ઠરતાં ઉત્પન્ન ન થઈ તેને પ્રત્યાખ્યાન કહે છે. માટે સ્થિર થયેલું જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ પ્રત્યાખ્યાનમાં નથી. જાણનાર ચૈતન્યસૂર્યમાં જ્ઞાન થંભી જાય-સ્થિર થઈ જાય એ જ પ્રત્યાખ્યાન છે.
[ પ્રવચન નં. ૭૭-૭૮
*
દિનાંક ૧૫-૨-૭૬ થી ૧૬-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com