________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૪ ]
[ ૧૬૫
સાક્ષાત્ ધર્મ છે. કહ્યું છે ને કે ‘ ચારિત્ત વસ્તુ ધો’–ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષમાર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય ? પ્રવચનસાર ગાથા ૭ ની ટીકામાં આવે છે–‘ સ્વરૂપે ઘરનું ચારિત્ર' સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવું-ઠરવું એ ચારિત્ર છે. રાગનું આચરણ તે ચારિત્ર નથી. પંચમહાવ્રતનો વિકલ્પ એ પણ અચારિત્ર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા તે હું છું. અને રાગગમે તેવો મંદ હો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હો કે વ્યવહારત્નત્રયનો હો-તે મારા ચૈતન્યઘનસ્વભાવપણે થાય એવું એનું સ્વરૂપ નથી, અને હું રાગપણે થાઉં એવો મારો ચૈતન્યસ્વભાવ નથી. જ્ઞાનમાં આમ નિશ્ચય કરીને, રાગને ૫૨૫ણે જાણી, જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે.
હવે કહે છે–જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના સમયે એટલે પરના ત્યાગના કાળે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગાદિ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના ર્તાપણાનું નામમાત્ર કથન છે. શું કહે છે? આત્મા રાગનો ત્યાગ કરે છે એ નામમાત્ર કથન છે. ચાહે તો તીર્થંકગોત્ર બાંધવાનો ભાવ હોય, પણ તે ભાવ નિજ ચૈતન્યસ્વભાવપણે થવાને લાયક નથી એમ એ ભાવને પરભાવ તરીકે જાણ્યો ત્યારે આત્મા રાગને ત્યાગે છે એમ કહેવું એ કથનમાત્ર છે, કેમકે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું ત્યાં રાગ ઉત્પન્ન જ થતો નથી. બાપુ! આ તો જન્મ-મરણના ફેરા મટાડવાની બહુ મોંઘી વાત
છે.
જેને ભગવાન જ્ઞાતા-દષ્ટાવસ્તુનો પોતાની નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે ‘આ આત્મા છે' તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય? એનો હવે ઉત્તર આપે છે કે જેણે અંદ૨માં જાણ્યું કે રાગ અને ચૈતન્યસ્વભાવ ભિન્ન-ભિન્ન છે, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે. પરંતુ રાગને ત્યાગે છે એ તો કથનમાત્ર છે, કારણ કે રાગના ત્યાગનું ર્કાપણું ૫૨માર્થે જીવને નથી. નિર્મળ ભેદજ્ઞાન મળે નહિ અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ! જીવને ૫૨નું ત્યાગગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, ૫૨માર્થ નથી. ખરેખર તો એ રાગના ત્યાગનો ર્ડા છે જ નહિ. સ્વરૂપમાં ઠરતાં રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામમાત્ર કથન છે. અહો! આ તો પરમેશ્વર ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત સંતોએ આડતિયા થઈને જગતને જાહેર કરી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર કથન છે. અહાહા! ટીકા તો જુઓ!! આવી ટીકા અત્યારે ભરત
Please inform us of any errors on rajesh@Atma Dharma.com