SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૨ ] [ ૧૩૯ પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મના નિમિત્તે થયેલો દેખી કર્મથી કરવામાં આવેલો છે એમ કહ્યું છે. જ્યારે અહીં કહે છે કે રાગના ભાવ્યપણે થવાની લાયકાત જીવની છે, માટે તે રાગનો ર્તા છે. પ્રવચનસારમાં ૪૭ નયોમાં એક નય છે. એમાં કહે છેઆત્મદ્રવ્ય ર્પ્રનયે, રંગરેજની માફક, રાગાદિ પરિણામનું કરનાર છે, ' જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે ત્યાં દ્રવ્યષ્ટિથી આત્મા અર્તા છે એમ કહ્યું છે. શક્તિમાં દૃષ્ટિનો વિષય અને સ્વભાવની અપેક્ષાએ વર્ણન છે. તેથી જીવ રાગનો ર્તા નથી એવો અર્તાસ્વભાવી કહ્યો છે. જ્યારે અહીં પર્યાયમાં ક્ષણે ક્ષણે કંઈક પરાધીનતા અને સ્વાધીનતા થાય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. દષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું છે તે એમ જાણે છે કે જીવ ર્ક્શનયે રાગરૂપે પરિણમનાર છે. કર્મના લઈને જીવ રાગરૂપે થાય છે એમ નથી. તેમ જ રાગ કરવા લાયક છે એમ પણ નથી. પરંતુ રાગરૂપે જીવ (સ્વયં ) પરિણમે છે તેથી ર્તા કહેવાય છે. છતાં પણ ર્ક્શનય સાથે અર્ધ્વનય હોવાથી રાગનો જ્ઞાની સાક્ષી જ છે, જાણનાર જ છે. રાગને ન કરે એવો અક્તૃત્વગુણ આત્મામાં છે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે કર્મના નિમિત્તે, કર્મને અનુસરીને થવાની યોગ્યતા પર્યાયમાં હોવાથી થાય છે. તે પર તરફનું વલણ છોડી સ્વનું વલણ કરવું તે સાચો પુરુષાર્થ છે. શક્તિ અને દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ જીવને રાગ-દ્વેષનો ભોગવટો નથી, કેમકે તેનામાં અભોતૃત્વ શક્તિ છે. કર્મના નિમિત્તથી થતાં વિકારીભાવના ઉપરમરૂપ આત્માનો અનુભવ તે ખરેખર પોતાનો ભોગવટો છે. આ ગુણ અને દ્રવ્યને અભેદ કરીને વાત છે. પરંતુ જ્યારે પર્યાયમાં શું છે તે સિદ્ધ કરવું હોય ત્યારે ભોતૃત્વ નયથી સુખ-દુઃખ, સંકલ્પ-વિકલ્પ, પુણ્ય-પાપ અને રાગ-દ્વેષનો ભોગવનાર છે. આવો એક નય છે, પરંતુ પરને આત્મા ભોગવના૨ નથી. ધવલના છઠ્ઠા ભાગમાં પણ કહ્યું છે કે અંતરંગ કારણ પ્રધાન છે, નિમિત્ત નહિ. પ્રશ્ન:- સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કેઃ–ાઓ પુદ્દગલની શક્તિ ! તે કેવળજ્ઞાનને પણ રોકે છે. કેવળજ્ઞાનને રોકે એવું કેવળજ્ઞાનાવરણીય કર્મ છે ને ? ઉત્ત૨:- એ તો પુદ્દગલમાં નિમિત્ત થવાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી શક્તિ છે તે બતાવ્યું છે. કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે કેવળજ્ઞાન રોકાયું છે એમ નથી. ઉદય તો જડમાં છે, અને ઉદયને અનુસરવાની લાયકાત પોતાની છે. માટે જ્ઞાન પોતાથી હીણપણાને પ્રાપ્ત થયું છે. પરિણતિમાં વિષયનો પ્રતિબંધ થતાં થોડો વિષય કરે છે અને ઘણો છોડી દે છે. તે પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મ તો એમાં નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભાવકપણે આવે છે તે તેની સત્તામાં છે અને જીવની સત્તામાં પોતાના કારણે તેને અનુસરીને જ્ઞાની હીણી દશા થવાની ભાબ દશા થાય છે. તે ભાવ્યભાવકસંકરદોષ છે. હવે પર્યાયને પૂર્ણ નિર્મળ કરવા, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન કેવળજ્ઞાનનો પિંડ છે તેનો પૂર્ણ આશ્રય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy